1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , બુધવાર, 6 માર્ચ 2013 (15:10 IST)

સંમતિપૂર્વક સહવાસની વય 16 વર્ષ કરવી યોગ્ય છે ?

સરકારનો નવો કાનૂન સંશોધન વિધેયક

P.R
ભારતમાં દિવસો દિવસ મહિલાઓ સાથે વધતા જતા અત્યાચારોને ધ્યાનમાં રાખતા સરકારે નવા કાનૂન સંશોધન વિધેયકમાં વિધેયકમાં યુવતીઓનો પીછો કરવો, તેના પર એસિડથી હુમલો, અશ્લીલ ઈશારા અને અનુચિત સ્પર્શ જેવા અપરાધો માટે પણ આકરી સજાના પ્રસ્તાવ રાખવામાં આવ્યા છે.

આ વિધેયકમાં સમંતુપૂર્વક સહવાસની વય 18ના સ્થાને 16 વર્ષ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. આ પ્રસ્તાવમાં “યૌન હુમલા”ના સ્થાને “દુષ્કર્મ” શબ્દના ઉપયોગનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેના અંગે કેબિનેટનની આગામી બેઠકમાં ચર્ચા થવાનો સંભવ છે.

પ્રસ્તાવિત વિધેયકમાં સામેલ મોટાભાગની કલમ જસ્ટિસ વર્મા પંચની ભલામણો પર આધારીત છે. તેમાં “વૈવાહીક દુષ્કર્મ”નો કોઈ ઉલ્લેખ નથી.

આ પ્રસ્તાવમાં એક પ્રંશસનીય ઉલ્લેખ એ છે કે હોસ્પિટલો, નર્સિંગ હોમ, ખાનગી અને સરકારી ચિકિત્સા કેન્દ્રોએ મહિલા પીડિતોને સારવાર આપવી પડશે. એમ નહીં કરવામાં આવે તો તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આવી ઘટનાઓની ફરિયાદ વખતે માત્ર મહિલા પોલીસકર્મી દ્વારા જ પીડિતાનું નિવેદન લેવામાં આવશે.