1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 6 નવેમ્બર 2014 (15:04 IST)

દેવભાષા સંસ્કૃતમાં ગઝલ તેમજ હાઈકુ

એમ.એસ.યુનિવર્સિટીની સંસ્કૃત મહાવિદ્યાલયે મોર્ડન સંસ્કૃત સાહિત્ય વિષય પર એક સેમીનારનુ આયોજન કર્યુ છે.જેમાં દેશભરમાંથી સંસ્કૃત નિષ્ણાતો હાજરી આપશે. દેવભાષા કહેવાતી સંસ્કૃત બોલનારા હવે ઓછા રહ્યા છે પરંતુ આમ છતા જે લોકો સંસ્કૃત બોલે છે તેમણે હવે સંસ્કૃતનો ઉપયોગ સાહિત્યના વિવિધ પાસઓમાં કરવા માંડયો છે.જેમ કે હવે સંસ્કૃતમાં નાટકો કવિતાઓ ઉપરાંત ગઝલ પણ લખાતી થઈ છે અને સોનેટ તેમજ હાઈકુ પણ રચાતા થયા છે.

આ તમામ પ્રકારના સંસ્કૃત સાહિત્યની આ સેમીનારમાં ચર્ચા થશે.તા ૨૬મીએ એક દિવસનો આ સેમીનાર યોજાશે.