1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 23 ફેબ્રુઆરી 2015 (15:20 IST)

ચેઇન સ્નેચરોએ પ્રગતિ કરી, કારમાં આવીને સોનાનો અછોડો તોડીને ફરાર

શહેરના વાઘોડિયા રોડ વલ્લભાચાર્ય હોસ્પિટલ પાસે વહેલીસવારે મારુતિ એસ્ટિમ કારમાં ધસી આવેલા બુકાનીધારી લુટારુઓએ એક ર્મોનગ વોકર ગૃહિણીને ચાકુની અણીએ બાનમાં રાખીને ગળામાંથી એક તોલા વજનનો સોનાનો અછોડો તોડીને ફરાર થઈ ગયા હતા. એક રાહદારીએ કારનો નંબર નોંધ્યો હતો જે નંબર ગૃહિણીએ પોલીસને આપ્યો છે. પાણીગેટ પોલીસે એસ્ટિમ કારના નંબરના આધારે લુટારુઓની શોધખોળ શરૂ કરી છે.

વાઘોડિયા રોડ નાલંદા ટાંકી પાસે આવેલી વિરપુર નગર સોસાયટીમાં રહેતાં રોહિણીબેન પ્રદિપભાઈ પંડિત મ્યુનિ. કોર્પોરેશનની વોર્ડ નં. ૭ ની ઓફિસમાં ફિલ્ડ સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે.

રોજિંદા નિત્યક્રમ પ્રમાણે આજે વહેલીસવારે તેઓ ર્મોનગ વોકમાં નીકળ્યા હતા. પાછા વળતા સવારે આશરે ૬-૩૦ વાગે વલ્લભાચાર્ય હોસ્પિટલ પાસે વ્રજ વિહાર એપાર્ટમેન્ટ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક એસ્ટિમ કારમાંથી બે બુકાનીધારીઓ ઉતર્યા હતા. એક જણાએ માં દબાવીને ગળા પર ચાકુ મુક્યું હતં. બીજાએ ગળામાંથી એક તોલા વજનની સોનાની ચેન તોડી હતી. બન્ને લુટારુઓ કારમાં બેસીને નાસી છૂટયા હતા. એક રાહદારીએ કારનો નંબર જોયો હતો જે નંબર ગૃહિણીએ પાણીગેટ પોલીસને આપ્યો હતો. પોલીસે કાર નંબરના આધારે તપાસ આગળ ધપાવી છે.