તો આ રીતે વધશે અથાણાંનો સ્વાદ
મોટાભાગે અથાણું પડ્યુ પડ્યુ ખરાબ થઈ જાય છે. તો જાણો આ ટિપ્સ અને બનાવો લાંબા સમય સુધી તાજુ રહે તેવુ અથાણું...
આટલી ટિપ્સ અજમાવો
- લીંબૂનુ અથાણુ નાખતી વખતે તેમા થોડી દળેલી ખાંડ છાંટી દેશો તો મીઠાના દાણા નહી પડે અને તેનો સ્વાદ પણ વધી જશે. અથાણાનો સ્વાદ તાજો રહેશે.
- કેરીનુ અથાણુ બનાવતી વખતે ફાંકમાં મીઠુ-હળદર લગાવતી વખતે તેના પર 1-2 ચમચી દળેલી ખાંડ ભભરાવી દેવાથી બધી ફાંકો પાણી છોડશે અને અથાણાંનો રંગ પણ સરસ આવશે.
- કેરીના ગળ્યા અથાણામાં થોડો આદુનો રસ મિક્સ કરી દેવાથી આ વધુ ટેસ્ટી અને ચટપટુ બનશે.
-લીંબૂનુ અથાણું જો ખરાબ થવા માંડે તો તેને કોઈ વાસણમાં કાઢીને લીંબૂના ફૂલ નાખીને પકાવી લો. અથાણુ ફરીથી નવુ થઈ જશે અને તેનો ટેસ્ટ પણ પહેલા જેવો જ લાગશે.
- આખુ કેરીનુ અથાણું, અનાનસનુ અથાણું, મિક્સ વેજ અથાણું, ગળી કેરીના અથાણામાં આખી રાઈ નાખવાથી તેનો સ્વાદ અને રંગ બંને વધી જાય છે.
- અથાણું સ્વાદિષ્ટ બને અને તેનો રંગ પણ એવો દેખાય કે જોતા જ મોઢામાં પાણી આવી જાય. આ માટે અથાણાના મસાલામાં સરસિયાનું તેલ ગરમ કર્યા વગર જ નાખી દો.
- કાકડી, ગાજર અને મરચાના અથાણામાં નીંબૂના ફુલ, ખાંડ અને મીઠુ નાખીને બનાવવાથી તેનો સ્વાદ વધી જશે.