ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 13 સપ્ટેમ્બર 2019 (10:19 IST)

First Aid Day બળી ગયાં કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો

બળી ગયાં  કે દાઝી ગયા હોય તો આ 11 પ્રાથમિક ઉપચાર આ રીતે કરો 
બળનારી વ્યક્તિના જીવનની રક્ષા માટે સૌથી પહેલાં જાણી લો કે તેની નળીમાં કોઈ તકલીફ ન હોય, નસોનું સંચાલન સરખી રીતે થતું હોય, લોહી વહેતું ન હોય, તેનું જીવન વધારે ખતરામાં ન હોય. જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગી હોય તો આગ હોલવવા માટે કોઈ ધાબળો, કે કોઈ મોટા કપડામાં લપેટવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખો કે જેટલી જલ્દી આગ હોલવાઈ જશે તેટલું શરીરને નુકશાન ઓછું થશે. તો તેના માટેના પ્રાથમિક ઉપચાર અહીં આપવામાં આવ્યાં છે. 
* શરીર પર બનેલા છાલાને ફોડશો નહિ. બળેલી ચામડી અને ઘાને પણ ફોડશો નહિ. 
 
* શરીર પર પહેરેલા ઘરેણાં જેમકે બંગડી, વીંટી વગેરેને ઉતારી દો. 
 
* બળેલી વ્યક્તિના શરીર પરથી બળેલા કપડાંઓને દૂર કરી દો. 
 
* રોગીને પેટ્રોલીયમ જેલી, માખણ કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થ ક્યારેય પણ ન લગાડશો કેમકે તે બળેલા ભાગને વધારે બાળે છે. 
 
* હોસ્પીટલ લઈ જતાં પહેલાં જો શક્ય હોય તો સાફ ટુવાલન પડની વચ્ચે બરફ મુકીને બળેલા ભાગ પર મુકી દો. અનાથી અડધાથી ત્રણ કલાકની અંદર બળતરા ઓછી થઈ જાય.
 
* જ્યારે પણ કોઈ કારણે ત્વચા બળી જાય તો તેના પર ઠંડુ પાણી નાખો જેથી છાલા ન પડી શકે. ત્યારબાદ તમે દાઝેલા સ્થાન પર ઠંડા પાણીના કપડો પલાડીને બાંધી દો. 
 
* પ્રાથમિક ઉપચાર માટે એલોવેરા પણ ખૂબ ઉપયોગી છે. સારા પરિણામ માટે ઘાને પાણી થી ધોયા પછી તેના પર એલોવેરા જેલ લગાવી શકો છો. 
 
* દાઝેલા સ્થાન પર બટાકાનો છાલટા લગાવીને રાખવાથી પણ બળતરા ઓછા થઈ જાય છે અને ઠંડક મળે છે. 
 
* દાઝેલા સ્થાન પર તરત હળદરનું પાણી લગાવાથી પણ દુખાવો ઓછું હોય છે અને આરામ પણ મળે છે. 
 
* મધ પણ એક સારું એંટીબાયોટિક છે. 
 
* દાઝી ગઈ જગ્યા પર ટી બેગ મૂકવાથી પણ ખૂબ રાહત મળે છે. તેના માટે ટી-બેગને ફ્રિજ કે ઠંડા પાણીમાં થોડી વાર મૂકી ઘા પર લગાવો.