1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: ગુરુવાર, 2 મે 2024 (01:15 IST)

હાર પછી CSK ના Playoffs માં જવાનો ફક્ત આ એક જ રસ્તો, જીતવી પડશે આટલી મેચ

પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કુરેને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. આ મેચમાં સીએસકેની ટીમે પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સને 163 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પંજાબ કિંગ્સે સરળતાથી પીછો કરી લીધો હતો. હવે હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને પ્લેઓફમાં જવા માટે મોટો ઝટકો લાગ્યો છે અને હવે તેની પાસે પ્લેઓફમાં જવાનો એક જ રસ્તો બચ્યો છે.
 
પ્લેઓફમાં જવાનો આ એકમાત્ર રસ્તો બચ્યો છે
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યાર સુધી 10 માંથી પાંચ મેચ જીતી છે. ટીમને પાંચ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના 10 પોઈન્ટ છે અને તે ચોથા સ્થાને છે. CSKની હજુ ચાર મેચ બાકી છે, જે તેણે પંજાબ કિંગ્સ, RCB, રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ સામે રમવાની છે. પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરવા માટે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને બાકીની ચારમાંથી ત્રણ મેચ જીતવી પડશે. જેથી તે પ્લેઓફમાં પોતાનું સ્થાન આરામથી સુનિશ્ચિત કરી શકે અને નેટ રન રેટ પણ વધારવો પડશે. હાલમાં CSKનો નેટ રન રેટ 0.627 છે.
 
પંજાબ કિંગ્સે  મેળવી જીત
CSK સામે પંજાબ કિંગ્સની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે પ્રભાસિમરન સિંહ માત્ર 13 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જોની બેયરસ્ટો અને રિલે રૂસોએ રન બનાવવાની જવાબદારી લીધી. આ બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગ કરી હતી. બેયરસ્ટોએ 46 રન અને રિલે રૂસોએ 43 રન બનાવ્યા હતા. છેવટે શશાંક સિંહ અને સેમ કુરનએ સારી બેટિંગ કરીને પંજાબ કિંગ્સને જીત અપાવી હતી. શશાંકે 25 રન અને કેપ્ટન કરણે 26 રન બનાવ્યા હતા. આ ખેલાડીઓની જોરદાર બેટિંગના કારણે જ પંજાબની ટીમ જીત મેળવી શકી હતી. ચેન્નાઈ તરફથી શાર્દુલ ઠાકુર, રિચર્ડ ગ્લીસન અને શિવમ દુબેએ 1-1 વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાએ પોતાની ત્રણ ઓવરમાં 22 રન આપ્યા, પરંતુ તે એક પણ વિકેટ લઈ શક્યો નહીં.