1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. જ્યોતિષવિજ્ઞાન
  4. »
  5. જ્યોતિષ 2013
Written By વેબ દુનિયા|

જ્યોતિષ : નોકરી નથી મળી રહી તો તરત જ અપનાવો આ ઉપાયો

આપણા ગ્રહો આપણા જીવનને ખૂબ પ્રભાવિત કરે છે. ગ્રહ દોષથી પીડિત જાતકોને નોકરી મેળવવામાં કે પ્રમોશન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તો તરત આ ઉપાયો અજમાવો
P.R


રોજ શિવલિંગ પર કાચુ દૂધ અને પાણી અર્પણ કરવુ જોઈએ.

શિવજીને જલ્દી પ્રસન્ન કરવા શિવલિંગ પર રોજ કાચુ ગાયનુ દૂધ અર્પણ કરો. ગાયને માતા માનવામાં આવે છે. તેથી ગૌમાતાનુ દૂધ પવિત્ર અને પૂજનીય છે. તેને શિવલિંગ પર ચઢાવવાથી મહાદેવ શ્રદ્ધાલુની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.


પીપળાના વૃક્ષ પર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. રોજ પીપળની જડમાં કાચુ દૂધ અને જળ અર્પણ કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

P.R


ધ્યાન રાખો કે દૂધ અને જળ અર્પણ કર્યા બાદ પીપળાના વૃક્ષની પરિક્રમા પણ કરવી જોઈ. આ નિયમ નિયમિત બનાવવો જોઈએ.


પિતૃદોષથી પીડિત જાતકોએ ઉન્નતિ કે રોજગારની પરેશાનીનો હલ કરવા માટે દરેક મહિનાની અમાસ પહેલાના આવનાર ચૌદ દિવસ વડના ઝાડને દૂધ અર્પિત કરો. આ ઉપાયથી પિતૃદોષથી શાંતિ મળે છે.

P.R


જો કોઈને ખૂબ મહેનત પછી પણ સફળતા ન મળી રહી હોય તો ગૃહ સ્થાનની નિકટ કોઈ કુવામાં કે અન્ય કોઈ જળ સ્ત્રોતમાં કાચુ દૂધ નાખવાથી તરત લાભ થાય છે.
P.R


આ એક અચૂક ઉપાય છે અને આનાથી ચોક્ક્સ સકારાત્મક પરિણામ મળે છે.

P.R


કાલસર્પ દોષથી પીડિત જાતકોને શ્રેષ્ઠ મુહુર્તમાં કે નાગપંચમીના દિવસે કોઈ પવિત્ર વહેતી નદીમાં દૂધ પ્રવાહિત કરવાથી લાભ થાય છે.

P.R

P.R


બ્રહ્મ મુહુર્તમાં ઉઠીને સ્નાન ધ્યાન કરી એક તાંબાના લોટામાં સ્વચ્છ જળ ભરો. જળમાં સૂકી લાલ મરચાંના દાણા નાખો નએ આ જળ સૂર્ય દેવને અર્પણ કરો.

P.R