શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : ગુરુવાર, 18 મે 2017 (17:22 IST)

Panchak શુભ કે અશુભ ક્યારે ગણાય છે

1. રોગ પંચક 
રવિવારે શરૂ થતા પંચક રોગ પંચક કહેલાવે છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસ શારીરિક અને માનસિક પરેશાનીઓ વાળા હોય છે. આ પંચકમાં કોઈ પણ રીતે શુભ કામ નહી કરવા જોઈએ. દરેક રીતના માંગલિક કાર્યોમાં આ પંચક અશુભ ગણાય છે. 
 

2. રાજ પંચક 
સોમવારે શરૂ થતા પંચક રાજ પંચક કહેલાવે છે. આ પંચક શુભ ગણાય છે. એમના પ્રભાવથી આ પાંચ દિવસોમાં સરકારી કામોમાં સફળતા મળે છે. રાજ પંચકમાં સંપત્તિથી સંકળાયેલા કામ કરવું પણ શુભ રહે છે. 

3. અગ્નિ પંચક 
મંગળવારે શરૂ થતા પંચક અગ્નિ પંચક કહેલાવે છે. આ પાંચ દિવસોમાં કોર્ટ કચેરી અને વિવાદ વગેરે ફેસલા તમારા અધિકાર મેળવા કામ કરી શકાય છે. આ પંચક માં અગ્નિનો ભય હોય છે. આ પંચકમાં કોઈ પણ રીતના નિર્માણ કાર્ય, ઓજાર અને મશીનરી કામોની શરૂઆત કરવું અશુભ ગણાય છે. એનાથી નુકશાન થઈ શકે છે. 

4. મૃત્યુ પંચક 
શનિવારે શરૂ થતા પંચક મૃત્યુ પંચક કહેલાવે છે. નામથી જ ખબર થાય છે કે અશુભ દિવસથી શરૂ થતા આ પંચક મૃત્યુના સમાન પરેશાની આપતું હોય છે. આ પાંચ દિવસોમાં કોઈ પણ રીતના જોખમ ભરેલા કામ નહી કરવા જોઈએ. એમના પ્રભાવથી વિવાદ,  ચોટ દુર્ઘટના વગેરે હોવાનો ખતરો રહે છે. 

5. ચોર પંચક 
શુક્રવારે શરૂ થતા પંચક ચોર  પંચક કહેલાવે છે. વિદ્વાનો મુજબ આ પંચકમાં યાત્રા કરવાની ના હોય છે. આ પંચક લેવડ-દેવડ,  વ્યાપાર અને કોઈ પણ રીતના સોદા પણ નહી કરવા જોઈએ. ના પાડેલ કાર્ય કરવાથી હાનિ થઈ શકે છે.