શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : બુધવાર, 15 ફેબ્રુઆરી 2017 (17:31 IST)

શુ તમારો જન્મ રાક્ષસગણમાં તો નથી થયો ને ?

તમને જોયું હશે કે જયારે પણ ઘરમાં કોઈનો લગ્નની વાત ચલાય છે તો સૌથી પહેલા કુંડળીઓ મિલાન કરાય છે. કુંડળીમાં ગુણ , નાડી દોષ અને ગણ પર વધારે દબાણ નખાય છે. કારણ કે તેના પર દાંપત્ય જીવનનો ભવિષ્ય ટકેલું હોય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ દરેકને ત્રણ શ્રેણીઓમાં વહેંચાયલું છે અને તેમના ગણના આધારે નિર્ધારિત છે. આ ત્રણ શ્રેણીઓ છે દેવગણ, મનુષ્યગણ અને રાક્ષસ ગણ. ગણના આધારે મનુષ્યનો સ્વભાવ અને તેમનો ચરિત્ર પણ જણાવાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જન્મના સમય નક્ષત્રના આધારે માણસનો ગણ નક્કી થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં જન્મના સમયે નક્ષત્રની ભૂમિકા બહુ મોટી હોય છે. તમે કયાં ગ્રહના અંતાર્ગત જ્ન્મુયા છો. કઈ રાશિના આધારે આવો છો અને તમારા જન્મનો નક્ષત્ર શું હતું. આ વાત આખા જીવનની રૂપ રેખા ખેંચે છે. 
 
દેવગણ- દેવગણથી સંબંધ રાખતા યાચક દાની, બુદ્ધિમાન, ઓછું ખાતા અને કોમળ હૃયનો હોય છે. એવું માણસના વિચાર બહુ ઉત્તમ હોય છે એ તેમનાથી પહેલા બીજાનો હિત વિચારે છે. 
 
મનુષ્યગણ- જે લોકોનો સંબંધ માણસ ગણથી હોય છે એ ધનવાન હોવાની સાથે ધનુર્વિદ્યાના સારા જાણકાર હોય છે . તેના ક્ષેત્ર મોટા-મોટા હોય છે સાથે જ એ સમાજમાં ખૂબ સમ્માન મેળવે છે અને લોકો તેમની વાતને ઉપર રાખીને માને છે. 
 
રાક્ષસગણ- રાક્ષસગણની વાત જ્યારે આવે છે રાક્ષસગણની તો ઘણા લોકો બીકી જાય છે. મને આશા છે કે તમારામાંથી પણ ઘણા લોકો જ્યારે તેમની કુંડળી ચેક કરાવશે તો તેમનો ગણ રાક્ષસ જ આવશે. તેમાં ભયભીત થવાની કોઈ જરૂર નહી. 
 
નકારાત્મક શક્તિઓને ઓળખી લે છે
 અમારા આસપાસ જુદા-જુદા રીતની શક્તિઓ હોય છે તેમાં કેટલાક નકારાત્મક હોય છે તો કેટલીક સકારાત્મક જ્યોતિષ વિદ્યા મુજ્બ રાક્ષસ ગણના જાતક નેગેટિવ એનર્જીને ઓળખી લે છે. તે સિવાય રાક્ષસ ગણના જાતકની છ્ટમી ઈંદ્રી એટલે કે સિક્સથ સેંસ પાવરફુલ હોય છે. રાક્ષસ ગણના જાતક સાહસી અને મજબૂત ઈચ્છાશકતિ વાળા હોય છે. 
 
અશ્લેષા, વિશાખા, કૃતિકા, મઘા, જ્યેષ્ઠા, મૂલ, ઘનિષ્ઠા, શતભિક્ષા નક્ષત્રમાં જન્મેલા લોકો રાક્ષસ ગણના અધીન ગણાય છે. 
 
ગણ મળવા પણ જરૂરી છે.  લગ્નના સમયે મિલાન કરતા જ્યોતિષાચાર્ય ગણોના મિલાન કરાવે છે ગણોના યોગ્ય મિલાન થતા પર દાંપત્ય જીવન સુખ અને આનંદ બનેલો રહે છે . જુઓ કયાં ગણ સાથે ઉચિત હોય છે મિલાન
વર-કન્યાના સમાન ગણ થતા પર બન્નેના મધ્યે ઉત્તમ સાંમજસ્ય બને છે.
 વર-કન્યા દેવગણના હોય તો વૈવાહિક જીવન સંતોષપ્રદ હોય છે. 
વર-કન્યા દેવગણ અને રાક્ષસગણના હોય તો બન્ને વચ્ચે સાંમજ્યસ નહી રહે છે અને તેમના મધ્યે ટકરાવની સ્થિતિ બની રહે છે.