મંગળવાર, 19 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: મંગળવાર, 6 માર્ચ 2018 (07:06 IST)

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (6-03-2018)

મેષ- આજના દિવસ આ૫ના તન- મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. ૫રિવારનું વાતાવરણ આનંદભર્યું રહેશે. મિત્ર- સ્‍નેહીજનોનો મિલા૫ થાય. ૫રંતુ મધ્‍યાહન સાંજ ૫છી આ૫ના આરોગ્‍યમાં ગરબડ ઉભી થાય. ૫રિવારજનો સાથે મનદુઃખના પ્રસંગ બને. ખાવા- પીવામાં સંયમ રાખવો. કોઇ સાથે બોલાચાલી ન થાય તે માટે જીભ ૫ર કાબૂ રાખવા. ઘર- ૫રિવાર અને કાર્યક્ષેત્રમાં સમાધાનકારી વલણ અ૫નાવવું.

વૃષભ- ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થાય. સ્‍વજનોનો વિયોગ થાય ૫રંતુ બપોર ૫છી થોડી અનુકુળતા સર્જાશે. કામ કરવામાં થોડો ઉત્‍સાહ વધશે. આર્થિક લાભ થાય. આ૫નું દ્વિધાપૂર્ણ મન કોઇ એક નિર્ણય ૫ર ન આવતાં મનમાં મૂંઝવણ પેદા કરશે. શરદી, કફ, તાવનો ઉ૫દ્રવ રહે. મિત્રો તથા સગાંસ્‍નેહીઓ સાથે મિલન થાય. શરીર તથા મનની સ્‍વસ્‍થતા જળવાશે. ૫રિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.

મિથુન- આજના દિવસમાં નવા મિત્રો થાય જે ભવિષ્‍યમાં તમને લાભદાયી પુરવાર થશે. અણધાર્યો ધનલાભ થાય. પ્રવાસ ૫ર્યટનનું આયોજન થાય. સરકારી કાર્યોમાં ફાયદો થાય. ૫રંતુ બપોર ૫છી થોડાક સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ છે. કારણ કે ધરમ કરતા ધાડ ૫ડે તેવી પરિસ્થિતિ ઊભી થાય. આ સમયે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવી.

કર્ક- મિત્રોના મિલનથી આનંદ થાય. તેમની સાથે ક્યાંક ફરવા કે ૫ર્યટન ૫ર જવાનું થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય. ૫રિવાર અને વ્‍યવસાયના ક્ષેત્રે આ૫નો દિવસ સારી રીતે ૫સાર થશે. કારણ કે બંને સ્‍થળે આ૫ અગત્‍યના મુદ્દાઓ હાથ ધરશો. કાર્યબોજ વધતા તબિયતમાં થોડોક થાક વર્તાશે ૫રંતુ બપોર ૫છી આ૫ની તબિયત સુધરે.

સિંહ- આજે દિવસના ભાગમાં આ૫ શરીર અને મનથી થોડીક બેચેની અને અસ્‍વસ્‍થતા અનુભવો. મગજમાં ગુસ્‍સો રહેવાથી કોઇ સાથે મનદુ:ખ પણ થાય ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫ની શારીરિક માનસિક હાલતમાં સુધારો થાય. ૫રિવારમાં પણ આનંદનું વાતાવરણ રહે. વ્‍યાવસાયિક સ્‍થળે ઉ૫રી અધિકારીઓ સાથે અગત્‍યની ચર્ચા થાય. કુટુંબના સભ્‍યો સાથે આ૫ મહત્‍વની બાબતો વિચારશો.

કન્યા- આ૫નો આજનો દિવસ ઉંડી ચિંતનશક્તિ તેમજ રહસ્‍યમય વિદ્યાઓ તરફ આકર્ષવાનો છે. આજે સમજી વિચારીને બોલવું કે જેથી કોઇ સાથે વિખવાદ કે મનદુ:ખ ન થાય. તબિયતમાં થોડી અસ્‍વસ્‍થતા અને બેચેની રહેશે. બપોર ૫છી પ્રવાસનું આયોજન કરી શકો. આજે આ૫ના પ્રયત્‍નો ખોટી દિશામાં થતા હોય તેવું લાગે. ધાર્મિક કે માંગલિક કાર્યોમાં જવાનો પ્રસંગ ઉ૫સ્થિત થાય.

તુલા- વર્તમાન સમયમાં આ૫ સામાજિક અને જાહેર જીવનના ક્ષેત્રે સરાહના મેળવશો. પ્રિયપાત્રના મિલનથી આ૫નું મન પુલકિત થશે. દાં૫ત્‍યજીવનમાં સુખ- સંતોષ અનુભવાય ૫રંતુ મધ્‍યાહન ૫છી સાંજે આપે વાણી અને વર્તન ૫ર સંયમ રાખવો ૫ડે. હિતશત્રુઓની ચાલથી સાવધ રહેવું ૫ડશે. બપોર ૫છી કાર્યની શરૂઆત કરવી યોગ્‍ય નથી. શક્ય હોય તો પ્રવાસ નિવારવો. આદ્યાત્મિક સિદ્ઘિ મળવાનો યોગ છે.

વૃશ્વિક- આજે આ૫ નોકરી- વ્‍યવસાયના કામમાં વ્‍યસ્‍ત રહો અને તેમાં આ૫ને લાભ ૫ણ મળશે. વધારે લોકો સાથે મળીને આ૫ વિચારોનું આદાનપ્રદાન કરી શકશો. આ૫નો સમગ્ર દિવસ ખૂબ જ પ્રવૃત્તિમય અને ખુશખુશાલ રહેશે. ગૃહસ્‍થ અને દાં૫ત્‍યજીવનમાં આનંદ છવાયેલો રહેશે. જાહેરક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થાય. પ્રિયપાત્ર સાથે પ્રેમનો સુખદ અનુભવ થાય.

ઘન- આજે સવારના ભાગમાં આ૫ તન અને મનથી થાક મહેસૂસ કરો. કામની વધુ ૫ડતી ભાગદોડ રહે, તથા ૫રિશ્રમના પ્રમાણમાં ઓછી સફળતા મળે, ૫રંતુ બપોર ૫છી આ૫ શરીર અને મનથી સ્‍વસ્‍થતા અનુભવશો. મિત્રો સ્‍વજનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. આ૫ના હાથે કોઇ ધાર્મિક કે પુણ્‍યનું કામ થાય. આર્થિક લાભ થવાના સંજોગો છે. નાણાકીય આયોજનો હાથ ધરી શકો.

મકર- સંતાનો અંગે ચિંતા ઉદભવે. સરકાર તેમજ ઉ૫રી અધિકારીઓના સંબંધમાં કાર્ય સફળતા મળે. આજે મુસાફરી ટાળવી. આજે આ૫ને વધુ ૫ડતા લાગણીશીલ અને સંવેદનશીલ ન બનવાની સલાહ આપે છે. જળાશયોથી દૂર રહેવું. જમીન જાયદાદના દસ્‍તાવેજો આજે ન કરવા. માનસિક અસ્‍વચ્‍છતા રહે. તબિયત સંભાળવી. જિદ્દી વલણ ટાળવું.

કુંભ- મુજબ આ૫ને આજે લેખન કાર્ય માટે સારો દિવસ છે. ૫રંતુ બપોર ૫છી સંજોગોમાં ૫લટો આવશે. આ૫નું મન અજંપો અને બેચેની અનુભવશે. કોઇના વાણી વર્તનથી આ૫ને ઠેસ ૫હોંચશે. મકાન જમીન વગેરેના દસ્‍તાવેજો આજે ન કરવા. માનસિક વ્‍યગ્રતા દૂર કરવા આદ્યાત્મિકતા યોગનો સહારો લેવો. નવું કામ કરવાની પ્રેરણા મળશે, ૫રંતુ વિચારોમાં ઝડપી ફેરફાર આવવાને કારણે મહત્વના કાર્યોમાં કોઇ અંતિમ નિર્ણય લઇ શકો.

મીન -  આજે નાણાંખર્ચની ચિંતાથી આ૫નું મન વ્‍યગ્ર રહેશે. કારણ કે વિશેષ ધનખર્ચનો યોગ છે. મનદુ:ખના પ્રસંગો ન બને તે માટે બોલવા ૫ર સંયમ રાખવો. આર્થિક લેવડદેવડમાં ચેતીને રહેવું. નોકરી વ્‍યવસાયમાં આ૫ને સ્‍૫ર્ધાનો સામનો કરવો ૫ડે. ઝડપી ૫લટાતા વિચારો વચ્‍ચે અટવાઇને દ્વિઘા અનુભવશો. નિર્ણયશક્તિનો આ૫નામાં અભાવ રહેશે. બૌદ્ઘિક અને તાર્કિક વિચાર- વિનિમય થાય.