શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: શુક્રવાર, 29 ડિસેમ્બર 2017 (12:43 IST)

Jyotish- જીવનના કષ્ટોનો નિવારણ માટે રાશિમુજબ ઉપાય જરૂર કરવો

રાશિમુજબ ઉપાય કરવથી જાતકને આશાતીતે લાભ હોય છે અને જીવનના કષ્ટોનો નિવારણ હોય છે. તો આવો જાણીએ રાશિમુજબ ઉપાય 
મેષ -મેષ રાશિના જાતકોને જોઈએ કે એ જ્યારે પણ ઘરથી નિકળે તો ઘરના દક્ષિણ ભાગમાં ગોળનો એક ટુકડો મૂકી જાઓ. કાર્યમાં પ્રગતિ થશે અને યાત્રામાં સફળતા મળશે. જ્યારે પણ કોઈ ખાસ કામ માટે ઘરથી બહાર નિકળો, ત્યારે આ ઉપાય જરૂર કરવું. 
 
વૃષભ- વૃષભ રાશિના જાતક જો કોઈ સફેદ ગાયને ચોખા ખવડાવશો તો નિશ્ચિત જ ધનલાભ થશે. શુક્રવારથી દરરોજ આ ઉપાય શરૂ કરી નાખો. ચોખાની માત્રા તમારી હથેળી મુજબ રાખવી. આ ઉપાય તમારા માટે ધનપ્રદ સ્થિતિઓ નિર્મિત કરશે. 
 
મિથુન - મિથુન રાશિના જાતક બુધવારે આખા મગનું દાન કરવું. કોઈ સુહગાન મહિલાને સુહાગની સામગ્રીનો દાન કરો. નિયમિત રૂપથી સફેદ ગાયને લીલી ઘાસ ખવડાવવાથી ઘર-પરિવારના દોષ દૂર થશે. ખાસકરીને વાયવ્ય ખૂણા(ઘરની પશ્ચિમ-ઉત્તર દિશા)માં  પૈસા રાખવાથી લાભ થશે. 
 
કર્ક- કર્ક રાશિના જાતકોને ઘરના પશ્ચિમ ભાગમાં કબૂતરને જુવારના દાણા ચગાવવા જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે અને પરિવારમાં શાંતિ બની રહે છે. 
 
સિંહ - સિંહ રાશિના જાતક તાંબાના લોટામાં જળ ભરેલા અને તેમના ઘરના પૂર્વભાગને તે લોટાના પાણી છાંટીને પવિત્ર કરવું. આવું કરવાથી શુભ સમાચાર મળે છે. ઘરમાં વડીલને સ્વાસ્થય લાભ થશે. તેનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત હોય છે. 
 
કન્યા- કન્યા રાશિના જાતકોને જોઈએ કે એ નિયમિત રૂપથી તેમના ઘરબી ઉત્તરદિશામાં લીલી ઘાસને ગાયને ખવડાવા માટે મૂકો. ગરીબ કે જરૂરિયત માણસને આખા મગ અને ગોળનો દાન કરો. તેનાથી ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને રોકાયેલો ધન મળશે. 
 
તુલા- તુલા રાશિના જાતક જો શુક્રવરે સવારે ઘરના પશ્ચિમ-ઉત્તર દિશામાં સફેદ કપડામાં ચોખા બાંધી લટકાવી દો અને માંગલિક કાર્યમાં ગતિ આવશે અને વૈવાહિક જીવનની પરેશાનીઓ દૂર થઈ જશે. 
 
વૃશ્ચિક- વૃશ્ચિક જાતકને તેમના ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં જવના લાલ કપડામાં બાંધી રાખવું જોઈએ. તેનાથી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશ નહી કરશે. બાળકો પર શુભ અસર થશે અને એ સ્વસ્થ રહેશે.
 
ધનુ - ધનુ રાશિના જાતકો માટે ઘરનો ઈશાન ખૂણા(ઉત્તર-પૂર્વ દિશા) સાધના માટે શ્રેષ્ઠ છે. અહી6 પર ભગવાન વિષ્ણુની શત નામાવલી કે સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી રોગ અને દોષોને મુક્તિ મળશે. કાર્યમાં પ્રગતિનો વાતાવરણ બનશે. 
 
મકર- મકર રાશિન જાતક ઘરના પશ્ચિમમાં લીલી કે શ્યામ તુલસીનો છોડ લગાવો અને નિયમિત રૂપે તેને સળગાવી નાખો, તો રોકાયેલા કાર્યમાં પ્રગતિ થશે. માંગલિક કાર્યની સાથે આર્થિક લાભના યોગ બનશે. 
 
કુંભ- કુંભ રાશિના જાતક ઘરની પશ્ચિમ -ઉત્તર દિશાને સ્વસ્ચ્છ રાખો. મહત્વપૂર્ણ કાગળ આ સ્થામ પર મૂકશો તો કાર્યમાં સફળતા મળશે. અહીં કોઈ પ્રકારના સામાન રાખવાના સ્થાન પરિવર્તન કરો. ધન પ્રાપ્તિ માટે ઘરમાં મની પ્લાંટ લગાવો. 
 
મીન- મીન રાશિના જાતકને જોઈએ કે ઘરના પૂર્વોત્તર દિશામાં મંદિર બનાવો. ધ્યાન રાખો કે ઘરના મંદિર અને રસોઈઘર સાથે-સાથે ન હોય. મંદિરના સ્થને પરિવર્તન કરી ઈષ્ટદેવને પ્રસન્ન કરશે. લક્ષ્મી નારાયણની આરાધનાથી ભૂમિ સંબંધી લાભ થશે.