શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
Written By

અકબર બીરબલ : સત્ય અસત્ય વચ્ચેનું અંતર

એક વાર દરબાર ભર્યો હતો, બીજા દરબારીયોની સાથે બીરબલ પણ હતો. અકબરે એક સવાલ પૂછ્યો, જેને સાંભળીને દરબારીઓના વિચિત્ર હાલ થયા. અકબરે પૂછ્યુ - 'સત્ય-અસત્ય વચ્ચે કેટલું અંતર હોય છે, બે ત્રણ કે ચાર શબ્દોમાં ઉત્તર આપો.


સવાલ સાંભળીને બધા દરબારીઓ વિચાર કરવા માંડ્યા. પછી અકબરે બીરબલની સામે જોયુ, બીરબલ સિવાય આ પ્રશ્નનો ઉત્તર કોણ આપે ? અકબરે કહ્યુ - 'બીરબલ તુ જ કહે મારા પ્રશ્નનો જવાબ.

બીરબલે કહ્યુ - 'મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર છે, સત્ય અને અસત્ય વચ્ચે ચાર આંગળીનુ અંતર છે.

અકબર અને દરબારીઓને વાત ન સમજાઈ, અકબરે કહ્યુ - બીરબલ, જરા વિસ્તૃત સમજાવીશ કે નહી ? બીરબલે આપ્યો જવાબ - શ્રીમાન, આંખો કાનથી હોય છે ચાર આંગળી દૂર, કાનથી સાંભળેલી વાતો હોય છે ખોટી અને આંખોથી જોયેલી વાત હોય છે સાચી.

અકબર બીરબલની વાત સાંભળીને બાગ-બાગ થઈ ગયા, તેમણે બિરબલની ખુબ જ પ્રશંસા કરી.