શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 2 જુલાઈ 2019 (10:32 IST)

હનુમાનજીના આ ઉપાયો તમારી દરેક પરેશાનીઓ કરશે દૂર

શનિવાર એટલે હનુમાનજીની પૂજા કરવાનો દિવસ.. શનિવારના દિવસે વિશેષ રૂપથી શનિદેવની પૂજા થાય છે. પણ આ દિવસે હનુમાનજીની આરાધના કરવાથી તેમની અને શનિ દેવની એક સાથે કૃપા પ્રાપ્ત થાય છે. કળયુગમાં ફક્ત હનુમાનજી જ એકમાત્ર એવા દેવતા છે જે ક્ષણવારમાં જ પોતાના ભક્તોની મુરાદ પુરી કરે છે. જો તમે શનિના પ્રકોપથી પીડિત છો કે તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ છે તો શનિવારના દિવસે હનુમાનજીને કેટલીક વિશેષ વસ્તુઓ ચઢાવીને તમે તમારા જીવનની દરેક સમ્સ્યાઓથી મુક્તિ મેળવી શકો છો. તો આવો જાણીએ શનિવારે હનુમાનજીને શુ ચઢાવવુ જોઈએ