સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Modified: ગુરુવાર, 7 નવેમ્બર 2024 (17:02 IST)

Maharashtra Elections - સરકાર બનશે તો બધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દઈશુ, કેમ ભડક્યા રાજ ઠાકરે

mns chief raj thackeray
મહારાષ્ટ્રમાં જેમ જેમ મતદાનનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ રાજકીય તાપમાન પણ વધી રહ્યું છે. હવે મહારાષ્ટ્રની ચૂંટણીમાં લાઉડસ્પીકરો પણ ઉતરી ગયા છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ મતદાન માટે ફતવા અને લાઉડસ્પીકરના ઉપયોગને લઈને મોટું નિવેદન આપ્યું છે. રાજ ઠાકરેનું કહેવું છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દેશે. આવો જાણીએ રાજ ઠાકરેએ આ મુદ્દે બીજું શું કહ્યું.
 
હિન્દુ ફક્ત રમખાણો સમયે સાથે આવે છે - રાજ ઠાકરે 
 
ઉલ્લેખનીય છે કે મનસે ચીફ રાજ ઠાકરે મહારાષ્ટ્રના અમરાવતીમાં પોતાની પાર્ટીના ઉમેદવારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા.  આ દરમિયાન તેમણે હિન્દુત્વના મુદ્દાને લઈને જોરશોરથી મહાવિકાસ અઘાડી એટલે કે  MVA પર હુમલો બોલ્યો. રાજ ઠાકરે એ કહ્ય કે હિન્દુ વિખરાય ગયા છે. તેઓ ફક્ત રમખાણો વખતે એકસાથે આવે છે.  ત્યારબાદ રાજ ઠાકરેએ કહ્યુ કે મુસલમાન મસ્જિદોના મહાવિકાસ અઘાડીને વોટ આપવા માટે ફતવો રજુ કરી રહ્યા છે.  
 
શરદ પવાર જાતિવાદ ફેલાવનાર સંત  - રાજ ઠાકરે
અમરાવતીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે શરદ પવારને મહારાષ્ટ્રમાં જાતિવાદ ફેલાવનારા સંત કહ્યા અને ઉદ્ધવને સ્વાર્થી કહ્યા. MNS ચીફે કહ્યું કે જ્યારે ઉદ્ધવ સીએમ હતા ત્યારે મેં તમામ મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવી દીધા હતા, ત્યારબાદ અમારા લોકો પર 17 હજાર કેસ નોંધાયા હતા.
 
હુ બધુ ઠીક કરી દઈશ - રાજ ઠાકરે 
ચૂંટણી પ્રચાર દરમિયાન રાજ ઠાકરેએ કહ્યુ કે જો મને સત્તા આપવામાં આવે તો કાલે કોઈપણ મસ્જિદ પર સ્પીકર નહી હોય. તેમણે કહ્યુ કે ઉદ્ધવે બાળા સાહેબ ઠાકરેના નામથી હિન્દુ હ્રદય સમ્રાટ હટાવી દીધુ.  તેમણે સ્વાર્થ માટે આવુ કર્યુ. કારણ કે તેઓ મજબૂર હતા. કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી તેમની સાથે છે.  તેઓ બાળાસાહેબને હિન્દુ હ્રદય સમ્રાટ કહે તો સારું નહીં લાગે. રાજ ઠાકરેએ વધુમાં કહ્યું કે મને એકવાર સત્તા આપો હું બધું ઠીક કરી દઈશ.