ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (12:15 IST)

અરૂણ જેટલીની હાલત ગંભીર, એમ્સ મળવા જશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

નવ ઓગસ્ટથી એમ્સમાં ભરતી પૂર્વ વિત્ત મંત્રી અરૂણ જેટલીની સ્થિતિ જાણવા આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એમ્સ જશે. ઉલ્લેખનીય છે કે અરૂણ જેટલી તે સમયે આઈસીયૂમાં ભરતી છે અને તેને વેંટિલેટર પર રાખ્યું છે. તેમની હાલત ગંભીર છે. 
 
અરૂણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસાંમાં પાણી એકત્ર થઈ રહ્યું છે. જેના કારણે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. જણાવી રહ્યું છે કે વાર વાર તેમના ફેફસાંથી પાણી કાઢી રહ્યા છે પણ તેમાં પાણી એકત્ર થઈ રહ્યું છે. તેમની સ્થિતિ સ્થિર છે. તે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લોકસભા અધ્યક્ષ ઓમ બોડલા અને ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓઓ હિસ્પિટલ પહોંચ્યા હતાં અને જેટલીના ખબર અંતર પુછ્યાં હતાં.એંડોક્રિનોલોજિસ્ટ, નેફ્રોલોજિસ્ટ અને કાર્ડિયોલોજિસ્ટની એક ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે.