મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 4 એપ્રિલ 2023 (12:53 IST)

સાંઈબાબા પર વિવાદાસ્પદ ટિપ્પણી- સાંઈબાબા પર બાગેશ્વર સરકારના બગડ્યા બોલ, સળગી મહારાષ્ટ્રનું રાજકારણ

બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેંન્દ્ર શાસ્ત્રી એક વાર ફરી ચર્ચામાં છે. કારણ છે કે તેમના વિવાદાસ્પદ ટિપ્પણી. તાજેતરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ સાંઈબાબાને લઈને કઈક આવુ કહી દીધુ છે જેનાથી ન માત્ર તેમણે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યુ છે પણ આ ટિપ્પણીથી મહારાષ્ટ્રના રાજકરણ પણ સળ્ગ્યુ છે 
 
હકીકતમાં સોશિયલ મીડિયા પર આચાર્ય ધીરેંદ્ર શાસ્ત્રીનુ એક વીડિયો વાયરલ થઈ રહ્યુ છે જેમાં તે કહેતા નજર આવી રહ્યા છે કે સાંઈ સંત થઈ શકે છે ફકીર હોઈ શકે છે પણ ભગવાન નથી હોઈ શકે. સાંઈ બાબાની પૂજા કરતા પર પણ આચાર્ય કહે છે કે  બોલવા માંગતા નથી કારણ કે વિવાદ થાય છે પણ એટલું કહેવું પણ જરૂરી છે કે શિયાળની ચામડી પહેરીને કોઈ સિંહ નથી બની શકતો. જો આપણે શંકરાચાર્ય જેવો ગેટઅપ કરીએ તો આનાથી આપણે શંકરાચાર્ય નહીં બનીએ. સંતો સંત છે અને ભગવાન ભગવાન છે