શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (15:12 IST)

18 મહીના પછી 99 દેશોના યાત્રીઓને ક્વોરેન્ટાઈનથી મુક્તિ

Exemption from quarantine for travelers from 99 countries after 18 months
ભારતે સોમવારે તે 99 દેશોના વિદેશી પ્રવાસીઓ માટે ક્વોરેન્ટાઇન ફ્રી એન્ટ્રી ફરી શરૂ કરી છે. જેઓ COVID-19 રસીકરણ પ્રમાણપત્રોની પરસ્પર માન્યતા માટે સંમત થયા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ અને રશિયા સહિત આ 99 દેશોના પ્રવાસીઓ “કેટેગરી A” હેઠળ લિસ્ટેડ કરવામાં આવ્યા છે.  18 મહિના બાદ ભારતે આ પ્રતિબંધ હટાવ્યો છે.
 
અગાઉ 15 ઓક્ટોબરે વિદેશી પ્રવાસીઓને ચાર્ટર્ડ વિમાનોથી ભારતમાં પ્રવેશની મંજૂરી અપાઈ હતી. હવે આ 99 દેશોમાંથી કોમર્શિયલ વિમાનોમાં આવનારા પ્રવાસીઓને પણ છૂટ મળી ગઈ છે. આ યાત્રીઓએ ભારત માટે રવાના થતાં પહેલાંના 72 કલાકમાં પ્રાપ્ત કરેલા કોરોનાનો નેગેટિવ રિપોર્ટ ઉપરાંત તેમનું વેક્સિનેશન સર્ટિફિકેટ પર એર સુવિધા પોર્ટલ પર અપલોડ કરવું પડશે.