1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 ડિસેમ્બર 2022 (09:28 IST)

બિલકીસબાનો બળાત્કાર કેસના એક દોષિતની સજામાફી અંગે આજે સુપ્રીમમાં સુનાવણી

સુપ્રીમ કોર્ટ આજે બિલકીસ બાનો કેસ મામલે સુનાવણી કરશે. મે 2022ના આપેલા આદેશની સમીક્ષા માટે અરજી કરાઈ હતી, જેમાં ગુજરાત સરકારે દોષિતોમાંથી એકની વહેલી મુક્તિની અરજી પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
 
જસ્ટિસ અજય રસ્તોગીની અધ્યક્ષતાવાળી અને જસ્ટિસ વિક્રમનાથની બનેલી સુપ્રીમ કોર્ટની બે જજની બેન્ચ બપોરે આ મામલાની સુનાવણી કરશે.
 
સુપ્રીમ કોર્ટે મે 2022ના તેના આદેશમાં ગુજરાત સરકારને 1992ની માફીનીતિના સંદર્ભે એક દોષિતની મુક્તિ અંગે નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
 
ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આ મેના આદેશ અંતર્ગત આ વર્ષે 15 ઑગસ્ટના રોજ બિલકીસના 11 દોષિતોને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.