1. સમાચાર જગત
  2. ગુજરાતી તાજા સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 9 મે 2025 (08:00 IST)

India Pakistan War: જો હવાઈ હુમલો થાય તો બચવા માટે શું કરવું જોઈએ ? જાણો બધું જ ડીટેલમાં

india pak war
india pak war
 
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને તે નરસંહારમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓની સંડોવણી મળી આવી હતી. આ મુદ્દા પર ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે સંઘર્ષ વધી રહ્યો છે. બંને દેશો એકબીજા પર હવાઈ હુમલા કરી રહ્યા છે. ગુરુવારે બંને બાજુથી મિસાઇલો અને ડ્રોન છોડવામાં આવ્યા હતા પરંતુ સદનસીબે અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર આખી દુનિયાની નજર છે.
 
ભારતે દેશના ઘણા રાજ્યોમાં પોતાના નાગરિકોનું રક્ષણ કરવા અને યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો તેમણે શું પગલાં લેવા જોઈએ તે જણાવવા માટે મોક ડ્રીલનું આયોજન કર્યું. આવી સ્થિતિમાં, જો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં હવાઈ હુમલો થાય, તો તમે તમારી જાતને અને તમારા પ્રિયજનોને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો? જાણો...
 
ભારતે દેશના ઘણા રાજ્યોમાં પોતાના નાગરિકોનું રક્ષણ કરવા અને યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો તેમણે શું પગલાં લેવા જોઈએ તે જણાવવા માટે મોક ડ્રીલનું આયોજન કર્યું. આવી સ્થિતિમાં, જો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં હવાઈ હુમલો થાય, તો તમે તમારી જાતને અને તમારા પ્રિયજનોને કેવી રીતે સુરક્ષિત રાખી શકો છો? જાણો...
 
હવાઈ ​​હુમલા થાય તો વાયુસેના શું કરે છે?
 
જો દુશ્મન તરફથી કોઈ રોકેટ, મિસાઈલ કે ફાઈટર જેટ આપણી સરહદમાં પ્રવેશ કરે છે. તેથી વાયુસેનાના રડાર તેને તરત જ શોધી કાઢે છે અને આ તરત જ દુશ્મનના હુમલા વિશે માહિતી આપે છે. જો કોઈ મિસાઈલ દુશ્મન દેશ દ્વારા લોંક કરવામાં આવે છે, તો તેની ગતિવિધિની દિશાના આધારે, વાયુસેના દ્વારા હુમલાની સંભવિત ચેતવણી પણ મોકલવામાં આવે છે અને હુમલાના શક્ય સ્થળોએ થોડીક સેકન્ડ પહેલા, એયર રેડ સાયરન વાગવા માંડે છે અને લોકોને છુપાઈ જવા માટે ચેતવણી આપવામાં આવે છે.
 
કેમ અને ક્યારે વાગે છે સાયરન  ?
 
1.  જ્યારે કોઈ મોટો ખતરો બનવાનો હોય છે, જેમ કે હવાઈ હુમલો, મિસાઈલ હુમલો, ત્યારે સાયરન વાગે છે.
 
2. એર સાયરનનો રેડ એલર્ટ અવાજ સાંભળતાની સાથે જ તમારે ભીડવાળી જગ્યાએથી સબવે અથવા અંડરપાસ પર જવું જોઈએ અને ત્યાં છુપાઈ જવું જોઈએ. મોટા શહેરોમાં બનેલા અંડરપાસ હવાઈ હુમલાઓ ટાળવા માટે ખૂબ અસરકારક છે કારણ કે બસો અને ટ્રક જેવા ભારે વાહનો તેના પરથી પસાર થાય છે. આ કારણે, રોકેટ કે મિસાઇલની અસર તેના પર ઘણી ઓછી થાય છે.
 
3. હવાઈ હુમલાની સ્થિતિમાં, જો તમે ખુલ્લી જગ્યામાં છો  તો તરત જ એવા ફ્લાયઓવર નીચે જાઓ જેની ઊંચાઈ ઓછી હોય.
 
4. જો તમે કોઈ બિલ્ડીંગમાં છો, તો રેડ સાયરન વાગતાની સાથે જ ઈમારતના મુખ્ય પ્રવેશદ્વારથી દૂર હટી જાઓ. ઇમારતના એવા ભાગમાં બિલકુલ ઉભા ના રહેશો જ્યાં સિંગલ દિવાલ અથવા ચારે બાજુ ફક્ત બારીઓ હોય.
 
5. તમારે એવા વિસ્તારમાં જવું જોઈએ જ્યાં બહારી દિવાલોની  આડ હોય એટલે કે શૌચાલય અથવા સીડી નીચેનો એરિયા સુરક્ષિત હોય છે.
 
6. હવાઈ હુમલાના સાયરનમાં સામાન્ય રીતે જોરથી, ચીસો પાડતો અવાજ હોય છે જે વધતો અને ઓછો થતો જાય છે.
 
7. સાયરનના અવાજમાં વધારો કે ઘટાડો એ ચેતવણી સૂચવે છે. જ્યારે સાયરન 1 થી ૩ મિનિટ સુધી વાગે છે, ત્યારે તેનો અર્થ એ છે કે લોકોએ તાત્કાલિક સલામત સ્થળે જવું જોઈએ.
 
8. સાયરનનો એક જ અવાજ જે ન વધે છે કે ન તો ઘટે છે અને લગભગ એક મિનિટ સુધી ચાલે છે. આનો અર્થ એ થયો કે ખતરો ટળી ગયો છે, હવે બહાર નીકળવું સલામત છે.
 
હવાઈ હુમલાથી ખુદને કેવી રીતે બચાવશો 
 
સાયરન વાગતાની સાથે જ તરત જ સલામત સ્થળે ખસી જાઓ.
 
ઘરમાં વીજળી સહિત તમામ ઇલેક્ટ્રોનિક અને ગેસ ઉપકરણો બંધ કરો.
 
બારીઓ અને દરવાજા બંધ કરો.
 
જમીન પર સૂઈ જાઓ અને માથું ઢાંકી દો.
 
ઇમરજન્સી કીટ તૈયાર રાખો, તેમાં ખાદ્ય પદાર્થો તેમજ પ્રાથમિક સારવારની વસ્તુઓ હોવી જોઈએ.
 
અફવાઓ પર ધ્યાન ન આપો, ફક્ત સરકારી માર્ગદર્શિકાનું પાલન કરો.