1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 16 માર્ચ 2023 (15:43 IST)

સંસદમાં બોલવા દેશો તો જવાબ આપીશ, રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરેંસ

let me speak in Parliament rahul gandhi
લંડનમાં ભારતીય લોકતંત્ર વિશે કોગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનને લઈને સંસદથી રસ્તા સુધી બવાલ મચી ગઈ છે. પોતાના નિવેદનને લઈને સંસદના બંને સદનોમાં ચાલતા હંગામા વચ્ચે રાહુલ ગાંધીએ ગુરૂવારે કહ્યુ કે તેમણે ભારત કે ભારતીય સંસદ વિરુદ્ધ કશુ કહ્યુ નથી. રાહુલે કહ્યુ કે જો તેમને સંસદમાં બોલવા દેશે તો તે આ વિશે પોતાનો પક્ષ મુકશે. રાહુલ ગાંધી બુધવારે લંડનથી પરત આવ્યા બાદ બજેટ સત્રના બીજા ચરણમાં ગુરૂવારે પહેલીવાર સંસદ પહોચ્યા. તે આજે 3 વાગે એક પ્રેસ કૉન્ફ્રેંસ પણ કરવાના છે. 
 
સંસદમાં ન બોલવા દીધો તો બહાર બોલીશ 
 
જ્યારે રાહુલ ગાંધીને કહેવામાં આવ્યું કે શાસક પક્ષ તેમના નિવેદન માટે તેમની પાસેથી માફી માંગે છે, ત્યારે રાહુલે સંસદ ભવન સંકુલમાં કહ્યું, 'જો તેઓ મને સંસદમાં બોલવા દેશે, તો હું જે વિચારું છું તે કહીશ.' જ્યારે તેઓ અંદર બોલશે. સંસદ, તે ભારતીય જનતા પાર્ટીને ગમશે નહીં. ગાંધીએ કહ્યું કે જો તેમને મંજૂરી નહીં મળે તો તેઓ સંસદની બહાર બોલશે. તાજેતરમાં, લંડનમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય લોકશાહીનું માળખા પર 'બર્બર હુમલા' થઈ રહ્યા છે. તેમણે ખેદ વ્યક્ત કર્યો કે અમેરિકા અને યુરોપ સહિત વિશ્વના લોકતાંત્રિક ભાગો તેનું ધ્યાન રાખવામાં નિષ્ફળ ગયા છે.

 
રાહુલ ગાંધીએ લંડનમાં બીજુ શુ કહ્યુ હતુ ?
 
રાહુલે  પોતાના ભાષણમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતના લોકતાંત્રિક માળખાને નષ્ટ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સંસદના બજેટ સત્રના બીજા તબક્કાની શરૂઆતથી જ શાસક પક્ષના સભ્યો ભારતીય લોકતંત્ર વિશે આપેલા નિવેદન માટે લંડનમાં રાહુલ ગાંધી પાસેથી માફીની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદેશી પ્રવાસ દરમિયાન પૂર્વમાં ભારતને લઈને કરવામાં આવેલ ટિપ્પણીનો હવાલો આપતા ભારતીય જનતા પાર્ટી પર પલટવાર કર્યો છે.  રાહુલ ગાંધીના નિવેદન અને અડાણીના મુદ્દાને લઈને થઈ રહેલ હંગમાને કારણે છેલ્લા કેટલાક દિવસોથી સંસદ સતત સ્થગિત થઈ જઈ રહી છે.