આંધ્રપ્રદેશના અનાકાપલ્લેમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 8 લોકોના મોત
આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં રવિવારે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં ફેક્ટરીમાં કામ કરતા 8 કામદારોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે ત્યાં 30થી વધુ કામદારો હાજર હતા. આ ઘટના અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુતલામાં બની હતી. આંધ્રપ્રદેશના ગૃહમંત્રી અનિતા વાંગલાપુડીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે. ગૃહ પ્રધાન અનિથા વાંગલાપુડીએ જણાવ્યું હતું કે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા વિસ્ફોટમાં 8 લોકોના મોત થયા હતા.
ગૃહમંત્રી અનિતાએ આ સૂચના આપી હતી
રાજ્યના ગૃહમંત્રી અનિતા આ ઘટના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ગૃહમંત્રીએ આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા તમામ કામદારોને સારી સારવાર આપવા સૂચના આપી છે. તેમણે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા કામદારોને આર્થિક મદદ કરવાની ખાતરી પણ આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે ઘાયલોના હોસ્પિટલમાં લઈ જતી વખતે મોત થયા હતા.