ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 15 સપ્ટેમ્બર 2024 (09:45 IST)

મેરઠ બિલ્ડિંગ અકસ્માતઃ 9 લોકોના મોત, 5 ઘાયલ, 2 લોકો હજુ પણ ફસાયેલા છે, બચાવ ચાલુ છે

meerut building collapse
ઉત્તર પ્રદેશના મેરઠમાં ઝાકિર કોલોનીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં નવ લોકોના મોત થયા છે અને અન્ય પાંચ ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી.
 
જો કે ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને ફસાયેલા બે લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
 
મેરઠ જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીનાએ જણાવ્યું કે ઝાકિર કોલોનીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થવાને કારણે નવ લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે બચાવ કાર્ય ચાલુ છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.