મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (11:25 IST)

ઝૂઠા "ટ્રંપ કાર્ડ' થી ગર્માવી સિયાસત, પીએમ મોદીએ દેશની સાથે કર્યું દગો: કાંગ્રેસ

ઝૂઠા "ટ્રંપ કાર્ડ' થી ગર્માવી સિયાસત, પીએમ મોદીએ દેશની સાથે કર્યું દગો: કાંગ્રેસ 
કશ્મીર પર મધ્યસ્તથાને લઈને કરેલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના દાવા પર કાંગ્રેસએ પીએમ મોદી પર દગાનો આરોપ લગાવ્યું છે. કાંગ્રેસએ કહ્યું કે પ્રધાનમંત્રીને આ બાબતે જવાન આપવું જોઈએ. પણ ટ્રંપની વાત પર અમેરિકી વિદેશ મંત્રાલયનો સ્પષ્ટીકરણ આવી ગયુ છે કે કશ્મીર મુદ્દા ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે.  પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સાથે સંયુક્ત સંવાદદાતા સમ્મેલનમાં ટ્રંપએ કહ્યું હતુ કે મોદી બે અઠવાડિયા પહેલા તેમની સાથે અને તેને કશ્મીર બાબત પર મધ્યસ્થતાની રજૂઆત કરી હતી. 
 
કાંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ભારતએ જમ્મૂ કશ્મીરમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતાને ક્યારે સ્વીકાર નહી કર્યું. કોઈ વિદેશી શક્તિથી જમ્મૂ કશ્મીરમાં મધ્યસ્થતા માટે કહીને પ્રધાનમંત્રી મોદીએ દેશના હિતની સાથે મોટું દગો કર્યું છે. સુરજેવાલાએ કહ્યુ કે આ વિષય પર પ્રધાનમંત્રી દેશને જવાબ આપો. 
કાંગ્રેસ નેતા શશિ થરૂરએ આ બાબતે ટ્વીટ કર્યું કે "ઈમાનદારીથી બોલું તો મને નથી લાગતું કે ટ્રંપને આ વાતનો થોડું પણ અંદાજો છે કે તે કોઈ વિષે વતા કરી રહ્યા છે. તેને આ તો સમજાયું નથી કે સમજ નથી આવતું કે (પ્રધાનમંત્રી) મોદી શું બોલી રહ્યા છે કે ત્રીજા પક્ષની મધ્યસ્થતા પર ભારતની સ્થિતિ શું છે. વિદેશ 
મંત્રાલયને આ સ્પષ્ય કરવું જોઈએ કે દિલ્લીએ ક્યારે તેની (ત્રીજા પક્ષની મધ્યસ્થતા) સિફારિશ નથી કરી છે. 
 
ટ્રંપના દાવાને ભારતએ જણાવ્યું ઝૂઠો-ભારતએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના દાવાને નકારી દીધું છે અને કહ્યું છે કે પાકિસ્તાનની સાથે બધા મુદ્દાનો ઉકેલ દિપક્ષીય વાયચીતથી જ થશે.