1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2017 (18:13 IST)

રાહુલ ગાંધી હવે નારિયેળના જ્યૂસ કાઢશે- પીએમ મોદી

ગોરખપુરમાં એપીએમ મોદી રાહુલ ગાંધીના સમાન્યા જ્ઞાન પર સવાલ ઉઠાવતા કીધું કે નારિયેળ મણિપુઅરમાં નહી પણ કેરળમાં હોય છે અને બીજી બાજુ અખિલેશ યાદવના કામ બોલે છેની ટેગ લાઈન પર જમીને હુમલા બોલ્યા. 
 
પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે કોંગ્રેસમાં રાહુલગાંધી એક નેતા એવા છે જે ખુબ કમાલના છે. તે તેમણે મણિપુરમાં ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે  કે તેઓ નારિયેળનો જ્યૂસ કાઢશે અને તેને ઈંગ્લેન્ડમાં વેચશે. ગરીબમાં ગરીબ બાળકને પણ તે માલૂમ હોય છે કે અનાર, સંતરા વગેરેના જ્યૂસ હોય જ્યારે નારિયેળનું પાણી હોય. તેઓ કહે છે કે નારિયેળનો જ્યૂસ કાઢશે. હવે કોંગ્રેસ પાસે હોશિયાર લોકો છે જે યુપીમાં કહે છે કે બટાકાની ફેક્ટરી નાખશે. નારિયેળનો જ્યૂસ વેચશે, બટાકાની ફેક્ટરી લગાવશે હવે તમે કહો કે આમનાથી તમને કોણ બચાવશે.