શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 29 જુલાઈ 2018 (09:39 IST)

પૂર અને વરસાદથી પાંચ રાજ્યોમાં 500 થી વધુ લોકોના મોત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ મોત

1  જૂનથી શરૂ થયેલું ચોમાસું દેશમાં હાહાકાર મચાવી રહ્યું છે. અત્યાર સુધી ચોમાસાની ઋતુમાં, પાંચ રાજ્યોમાં પૂર અને વરસાદમાં 465 લોકો મૃત્યુ પામ્યા છે. ગૃહ મંત્રાલયના નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર (એનઈઆરસી) મુજબ મહારાષ્ટ્રમાં 139, કેરળમાં 126, પશ્ચિમ બંગાળમાં 116, ગુજરાતમાં 52 અને આસામના 34 લોકોના મોત થયા છે. 24 કલાકમાં ઉત્તરપ્રદેશમાં 33 લોકોના મોત, 
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં 148 મકાન ધરાશાયી થયાં છે. સહારનપુરમાં શનિવારે એક મકાનની દીવાલ તૂટી પડતાં એક જ પરિવારનાં 4 બાળક સહિત 6 નાં મોત થયાં હતાં. સરધાનામાં મકાનની છત તૂટતાં માતા અને 6  મહિનાનાં બાળકનું મોત થયું હતું.
 
એનએઆરસી દ્વારા મહારાષ્ટ્રના 26 જિલ્લા, પશ્ચિમ બંગાળના 22, આસામમાં 21, કેરળના 14 અને ગુજરાતનાં 10 જિલ્લાઓ પૂર અને વરસાદથી પ્રભાવિત છે. આસામમાં 10.17 લાખ લોકો પૂર અને ભારે વરસાદથી પીડાય છે. આ પૈકી 2.17 લાખ લોકોએ રાહત કેમ્પમાં આશ્રય લીધો છે. 
 
એનડીઆરએફ ટીમો રાજ્યમાં રાહત અને બચાવ કામગીરીમાં સંકળાયેલી છે. દરેક ટીમમાં 45 લોકોનો સમાવેશ થાય છે. 
 
પશ્ચિમ બંગાળમાં 1.61 લાખ લોકોની અસર થઈ છે અને 8 એનડીઆરએફ ટીમો અહીં જમાવવામાં આવી છે. ગુજરાતમાં, 15912 લોકો સુરક્ષિત સ્થાનો પર લેવામાં આવ્યા છે. અહીં એનડીઆરએફની 11 ટીમો રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે.
 
કેરળમાં, પૂરમાં 1.43 લાખ લોકોને અસર થઈ છે. પૂર અને વરસાદને કારણે 9 લોકો ગુમ થઈ ગયા છે. કેરળમાં એનડીઆરએફની ચાર ટીમો અને મહારાષ્ટ્રની ત્રણ ટીમો લોકોની મદદ કરી રહી છે.