મંગળવાર, 2 જુલાઈ 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 મે 2024 (15:31 IST)

સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વચગાળાના જામીન વધારવાની અરજીને નકારી

સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનને વધારવા માટેની અરજીને ધ્યાને લેવાનો ઇનકાર કરી દીધો છે.
 
લાઇવ લો અનુસાર, "સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ધરપકડને પડકારનારી અરજી પર નિર્ણય હાલમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. આ ઍક્સટેન્શન અરજીનો મુખ્ય અરજી સાથે કોઈ સંબંધ નથી. "
 
કેજરીવાલ દિલ્હીના કથિત દારૂનીતિ ગોટાળા મામલે વચગાળાના જામીન પર બહાર છે. એક જૂને તેમના જામીન પૂર્ણ થઈ રહ્યા છે.
 
અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને લોકસભા ચૂંટણી માટે પ્રચાક કરવા માટે વચગાળાના જામીન માંગ્યા હતા.
 
10મે ના રોજ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા બાદ તેઓ જેલમાંથી બહાર આવ્યા હતા ત્યારબાદ તેઓ ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે.