1. ધર્મ
  2. તહેવારો
  3. રક્ષાબંધન
Written By
Last Modified: સોમવાર, 5 ઑગસ્ટ 2019 (15:59 IST)

રક્ષાબંધન 2019- ગુરૂવારના સૌથી શુભ અને શ્રેષ્ઠ મૂહૂર્તમાં બાંધવી રાખડી

ભાઈ અને બેનનો પવિત્ર રક્ષાબંધન આ વર્ષ 15 ઓગસ્ટ ગુરૂવારે છે. રક્ષાબંધનના 4 દિવસ પહેલા દેવગુરૂ બૃહસ્પરિ માર્ગી થઈ રહ્યા છે. માર્ગી ગુરૂ પર્વની શુભતાને વધુ વધારશે. 
 
ખાસ વાત આ છે કે રક્ષાબંધનના આ તહેવાર આ વખતે ભદ્રાના દોષથી મુક્ત રહેશે. બેનો સવારથી રાત સુધી ભાઈના કાંડા પર રાખડી બાંધી શકશે. શ્રાવણી પૂર્ણિમા પર સાત 7 વર્ષ પછી પંચાગના પાંચ અંગોની શ્રેષ્ઠ સ્થિતિ પણ બની રહી છે. 
 
જ્યોતિષીઓના મુજબ પર્વના ચાર દિવસ પહેલા ગુરૂનો માર્ગી થવું પણ તેની શુભતાને વધારશે. આ વખતે રક્ષાબંધનનો પર્વ ભદ્રાના દોષથી મુક્ત છે. ગુરૂવારના દિવસે શ્રવણ નક્ષત્ર અને સૌભાગ્ય યોગના સંયોગ ઓછું જ બને છે. સાથે જ રાત્રે .40થી પંચકની શરૂઆત થઈ રહી છે. પૂર્ણિમા તિથિ પર ઉતરાર્ના ભાગમાં પંચકના નક્ષત્રનો રાત્રિ અનુક્રમ તહેવારની શુભતાને પાંચ ગણુ વધારી નાખે છે. 
 
ભગવાન શ્રવણનો પૂજન કરવું. 
રક્ષાબંધન પર સવારે શ્રવણ નક્ષત્રની સાક્ષી રહેશે. આ દિવસે ભગવાન શ્રવણના પૂજનનો ખાસ મહત્વ છે. શ્રવણ નક્ષત્રમાં ભગવાન શ્રવણનો પૂજન ખાસ ફળદાયી ગણાયું છે. 
 
રક્ષાબંધની તિથિ 15 ઓગસ્ટ 2019 
રક્ષા બંધનનો શુભ મૂહૂર્ત 
રક્ષાબંધનની અનુષ્ઠાન સમય- સવારે  5 વાગીને 53 મિનિટથી સાંજે 5 વાગીને 58 મિનિટ 
અપરાહ્ય મૂહૂર્ત- દિવસમાં 1 વાગીને 43 મિનિટથી સાંજે 4 વાગીને 20 મિનિટ સુધી 
પૂર્ણિમા તિથિ શરૂઆત- દિવસમાં 3 વાગીને 45 થી (14 ઓગસ્ટ 2019) પૂર્ણિમા તિથિ સમાપ્ત- સાંજે 5 વાગીને 58 સુધી (15 ઓઅગ્સ્ટ 2019)