શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 11 મે 2017 (11:57 IST)

ભાઈ અખિલેશ યાદવ સત્તાની સાથે તમારી બુદ્ધી પણ ગઈ, જુઓ ગુજરાતના આ પુત્રો સરહદ પર શહિદ થયાં છે.

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે એક નિવેદનમાં કહ્યું હતું કે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દક્ષિણ ભારત અને દેશના અન્ય ભાગોના જવાનો શહીદ થયા છે. કોઈ મને કહેશે કે ગુજરાતનો કોઈ જવાન દેશની સુરક્ષા માટે શહીદ થયો હોય? અખિલેશના આ નિવેદન પર ગુજરાતના શહીદ દીકરાઓના પરિવારો અને પૂર્વ સૈનિકોએ જવાબ આપ્યો છે.1999ના કારગીલ યુદ્ધમાં શહીદ થયેલા મુકેશ રાઠોડના પત્ની રાજશ્રીનું કહેવું છે કે, અખિલેશનું આ નિવેદન અમારા માટે દુ:ખદ છે. અમે જ્યારે આ નિવેદન વિષે સાંભળ્યું ત્યારથી અમે આ વિષે વાત કરી રહ્યા છીએ.

શહીદ કોઈ એક રાજ્યના નથી હોતા, આખા દેશના હોય છે. કોઈ જવાનને ગુમાવવો રાજ્ય માટે, આખા દેશ માટે દુખની વાત હોય છે. રાજશ્રીએ જ્યારે પોતાના પતિને ગુમાવ્યા ત્યારે તે ગર્ભવતી હતા અને આજે તેમનો દીકરો મૃગેશ 17 વર્ષનો છે.આંખમાં ઝળઝળિયા સાથે શહીદ મુકેશના માતા સમજુબેન રાઠોડ કહે છે કે, જેણે પોતાનો દીકરો, પતિ અથવા પિતા ગુમાવ્યા હોય તે જ અમારી તકલીફ સમજી શકે છે.મારો દીકરો ગુજરાતના તે 13 જવાનોમાંથી હતો જેમણે કારગીલ યુદ્ધમાં દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યુ હતુ.

અમારા દુ:ખ અને કોઈ સ્વજનને કાયમ માટે ગુમાવી દેવાના અનુભવની તુલના અખિલેશ જેવા નેતાઓના નિવેદન સાથે ન કરી શકાય.શહીદ મેજર ઋષિકેશ રામાણી કુપવાડામાં આતંકીઓ સામે લડતા લડતા શહીદ થયા હતા. તેમની માતા ગીતા રામાણી કહે છે કે, મેં ઋષિકેશને જન્મ આપ્યો હતો, પણ ભારત માતાએ તેનું પાલનપોષણ કર્યુ. માતા પોતાના બાળકોમાં રાજ્ય, જાતિ અને ધર્મના આધારે ભેદભાવ નથી કરતી. હું અખિલેશને ગુજરાતના 10 એવા જવાનોના નામ આપી શકુ છુ, જે દેશ માટે શહીદ થયા છે.

આ પરિવારોએ પોતાના દીકરા, ભાઈ, પતિ, મિત્ર ગુમાવ્યા છે. અખિલેશ જીએ આવા નિવેદન આપતા પહેલા એક વાર આંકડા તો ચેક કરી લેવા જોઈએ.આ જ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે લડતાં લડતાં શહીદ થયેલા લાન્સ નાયક ગોપાલ સિંહ ભદૌરિયાના પિતા મુનીમ સિંહ કહે છે કે, અખિલેશને ઉત્તર પ્રદેશની સત્તાથી બેદખલ કરી દેવામાં આવ્યા છે. લાગી રહ્યું છે કે તે માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે. તે પોતાના આવા નિવેદન આપીને દેશના ભાગલા ઈચ્છે છે. મુનીમ સિંહે આગળ કહ્યું કે, જે વ્યક્તિ પોતાના પિતાનો ન થઈ શક્યો તે દેશનો દીકરો કઈ રીતે બની શકે? ઉત્તર પ્રદેશમાં તેમણે હિન્દુ-મુસ્લિમના ભાગલા કર્યા. ઠાકુરો, બ્રાહ્મણો અને રાજપૂતોને અલગ કર્યા. આજે તેમણે સાબિત કર્યું કે તેમની પાસે એક ગધેડા જેટલું પણ દિમાગ નથી.કેપ્ટન અલ્પ દેસાઈ આર્મીમાંથી 2007માં રિટાયર થયા છે. તેમનું કહેવું છે કે સેનામાં ગુજરાતના લોકોનું પ્રતિનિધિત્વ ઓછું છે. તેમણે કહ્યું હતું કે, પોતાની સર્વિસ દરમિયાન તેમને એ વાતની જાણકારી મળી હતી કે, સેનામાં ગુજરાતના જવાનોનું અપેક્ષા કરતા ઓછું પ્રતિનિધિત્વ છે. જે અખિલેશ યાદવે કહ્યું છે તે સાવ છેલ્લા સ્તરનું નિવેદન છે. સેનામાં ઓછું પ્રતિનિધિત્વ હોવાનું કારણ ગુજરાતનું માઈન્ડસેટ છે. ગુજરાતે રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર કે પછી પંજાબની જેમ યુદ્ધ નથી જોયા. અખિલેશે જે કહ્યું તે માત્ર ખોટું જ નહીં, પણ હલકી કક્ષાનું છે. એરફોર્સમાંથી નોન કમિશન્ડ ઓફિસર તરીકે નિવૃત્ત થયેલા નરેન્દ્ર દેસાઈ જણાવે છે કે, અખિલેશ યાદવે જે કહ્યું છે તે બેવકૂફીની હદ છે. શહીદ માત્ર શહીદ હોય છે. પછી ભલે તે યુપીનો હોય, બિહારનો હોય કે ગમે ત્યાંનો. તેમનું નિવેદન ઘૃણાસ્પદ છે, અને તેને ચલાવી લેવાય તેમ નથી. પછી ભલે આવું કોઈ સામાન્ય વ્યક્તિ કહે કે કોઈ રાજ્યનો પૂર્વ સીએમ.વિજયવાડા પાસે સાબરકાંઠા જિલ્લાના કોડિયાવાડામાં 6500ની વસ્તીમાં 1,200થી વધુ લોકો ભારતીય સેના માટે સેવા આપી રહ્યા છે. 700 પરિવારવાળા આ ગામમાં દરેક પરિવારમાંથી એક સભ્ય સેનામાં છે. ગુજરાતમાં માર્ચ 31 સુધી 26,656 પૂર્વ સર્વિસમેન હતા અને 3,517 શહીદોની વિધવાઓ. જેમાંથી 6,223 માત્ર અમદાવાદના જ હતા. ગુજરાતના 39 જવાનોને વીરતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતના 20 જવાનોએ આતંકીઓને સણસણતો જવાબ આપીને પોતાનો જીવ ગુમાવ્યો અને 24 જવાનોએ દેશની સરહદની રક્ષા કરતી વખતે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે