ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ઑક્ટોબર 2021 (08:27 IST)

આજથી અમદાવાદ-નાગપુર સ્પેશિયલ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે

From today
મધ્ય રેલ્વેના ભુસાવલ ડિવિઝન પર વેગન રિપેરિંગ વર્કશોપને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે નોન-ઇન્ટરલોકિંગ કાર્ય માટે બડનેરા સ્ટેશન પર બ્લોક લેવામાં આવી રહ્યો છે. તે મુજબ ટ્રેન નંબર 01137/01138 અમદાવાદ-નાગપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. જે આ પ્રમાણે છે:-
 
27 ઓક્ટોબર 2021ના રોજ અમદાવાદથી દોડતી ટ્રેન નંબર 01137 અમદાવાદ-નાગપુર સ્પેશિયલ તેના નિર્ધારિત રૂટ ભુસાવલ-બડનેરા-નાગપુરને બદલે ભુસાવલ-ઈટારસી-નાગપુર થઈને દોડશે.
 
28 ઓક્ટોબર 2021 ના ​​રોજ નાગપુરથી દોડતી ટ્રેન નંબર 01138 નાગપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન તેના નિર્ધારિત રૂટ નાગપુર-બડનેરા-ભુસાવલને બદલે નાગપુર-ઈટારસી-ભુસાવલ થઈને દોડશે.
 
સ્પેશિયલ ટ્રેનોના સંચાલનના સમય, સ્ટોપેજ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને સંબંધિત તમામ માપદંડ અને SOPsનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.