મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (11:11 IST)

નવસારી એસટી ડેપોમાં અકસ્માત, ડ્રાઈવર બસ પર કાબુ ન જાળવતા 3 મુસાફરોના કચડાઈને મોત

અમદાવાદની નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હિન્દી હાયર સેકન્ડરી હાઈસ્કૂલનાં વિદ્યાર્થીઓ બસમાં ઉજ્જૈન પ્રવાસમાં જઇને પાછા ફરી રહ્યાં હતાં. ત્યારે જ આજે વહેલી સવારે ગોધરાનાં પરવડી પાસે વિદ્યાર્થીઓથી ભરેલી બસના ડ્રાઇવરે સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કંડકટરનું મોત નીપજ્યું છે. જ્યારે 20 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
 
નવસારી એસ.ટી. ડેપોમાં સાંજના સમયે નવસારીથી અમલસાડ નવસારી ઇન્ટરસીટી બસનાં ચાલકે કહેવાતો નશો કરેલી હાલતમાં બસ પર કાબૂ જાળવી ના શકતા બસ પ્લેટફોર્મ નંબર 6 પર દોડી ગઈ હતી.બસની રાહ જોઈને ત્યાં ઉભા રહેલા મૂસાફરો પર ધસી ગઈ હતી. બસને આવતી જોઈને ત્યાં ઉભેલા મૂસાફરો પોતાનો બચાવ કરવા માટે ભાગ્યા હતા.પરંતુ બે મહિલાઓ વર્ષાબેન (ઉ.વ. 35 રહે. ખડસૂપા) તેમજ ભદ્રાબેન દિપકભાઈ પટેલ (ઉ.વ. 48) રહે. ખેરગામ) અને સુરતના કનૈયાલાલ (ઉ.વ. 41 પ્લેટફોર્મ પર બેઠા હતા ત્યાં પ્લેટફોર્મ પર બસ ચઢી ગઈ હતી જેથી તેઓ કચડાયા હતા. બે મહિલાઓના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા જ્યારે ગંભીર ઈજા પામેલા કનૈયાલાલને સ્થળ પર હાજર મુસાફરો પારસી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. પણ ત્યા હાજર તબીબે એમને સારવાર દરમિયાન મૃત જાહેર કર્યા હતા. આ ઘટના વેળા બસ ચાલક અકસ્માત કરી સ્થળ ઉપર બસ મુકી રફુચક્કર થયો ગયો હતો. જાણવા મળ્યા મુજબ આ પ્રવીણ મનુભાઈ દેવડિયા(ઉ.વ.27 રહે.મોટા દેવળિયા,જિલ્લો અમરેલી) હજી 20 દિવસ પહેલા જ ભરતી થયો હતો.