શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2017 (11:49 IST)

Totke - સવારે ઉઠતા જ લખો તમારા જમણા હાથ પર આ નામ, બદલાય જશે તમારી જીંદગી

મોટાભાગે લોકો કંઈક ખરાબ થતા પોતાના નસીબને દોષ આપે છે પણ જ્યારે કંઈક સારુ થાય છે તો પોતાની કિસ્મત ચમકી રહી છે એવુ વિચારે છે. આવુ તમારી સાથે કાયમ માટે થઈ શકે છે. 
 
આ માટે તમારે ફક્ત સવારના સમયનુ ધ્યાન રાખવુ પડશે. શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ કેટલાક અચૂક ઉપાય છે જે મનુષ્યના બગડેલા ભાગ્યને સુધારી શકે છે. 
 
આ એક એવો ઉપાય છે જે તમને આંખ ખોલતા જ એ સ્થાન પર બેસ્યા બેસ્યા કરવાનો છે. ધ્યાન રહે કે તેના પૂર્ણ થવા સુધી કોઈપણ પ્રકારનો અવરોધ ન આવે. 
 
આ માટે તમારે સવાર સવારે ઉઠતા જ તમારો જમણો હાથ આગળ કરવાનો છે. ત્યારબાદ પોતાના ઈષ્ટ દેવ જેને પણ તમે માનો છો તમારા ડાબા હાથ પર તેનુ નામ લખો. 
 
દાખલા તરીકે જો તમે શિવજીને માનો છો તો તેમનો મંત્ર લખો કે પછી કૃષ્ણજીને માનો છો તો તેમનો બીજ મંત્ર લખો. તમે તમારા ઈષ્ટ દેવનુ નામ કે મંત્ર તમારા હાથ પર લખી શકો છો. 
 
આવુ કરવા માટે તમારે કોઈ પેન કે પેન્સિલનો ઉપયોગ કરવાની જરૂર નથી. આ નામ અને મંત્ર તમારી આંગળીના સહારે પ્રતીકાત્મક રીતે તમારા હાથ પર લખવાનો છે. 
 
શાસ્ત્રીય માન્યતા મુજબ આપણા હાથની રેખાઓ જ મનુષ્યની કિસ્મત હોય છે. સવારનો સમય ખૂબ જ પવિત્ર હોય છે. જો તમારા નસીબની લકીરો પર પરમેશ્વરનુ નામ લખવામાં આવે તો તેનાથી વધુ શુભ શુ રહેશે. આવુ કરવાથી ઈશ્વર સદૈવ તમારી રક્ષા કરશે. કોઈપણ સંકટ કે સમસ્યા તમને નહી સતાવે.