શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Modified: ગુરુવાર, 13 ઑગસ્ટ 2015 (12:11 IST)

આજે ગુરૂ પુષ્ય સાથે બનશે 5 શુભ યોગ, કરી શકો છો આ ઉપાય

આ માટે શુભ છે ગુરૂ પુષ્ય 
જ્યોતિષમાં પુષ્યને ખૂબ જ શુભ નક્ષત્ર માનવામાં આવ્યુ છે. દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ આ નક્ષત્રના સ્વામી છે. ગુરૂવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંજોગ ગુરૂ પુષ્ય નામનો અત્યંત શુભ યોગ બનાવે છે. આ યોગમાં ખરીદી બેંક સાથે સંબંધિત કાર્ય નવો વેપાર-ઓફિસ શરૂ કરવો પૂજા પાઠ સંબંધિત શુભ કાર્ય કરવાથી એ કાર્યોના સમગ્ર પરિણામ પ્રાપ્ત થાય છે. જ્યોતિષિયોના મુજબ આ મુહુર્તમાં ખરીદીથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. 
 
પુષ્યનો અર્થ છે પોષણ કરવુ 
 
પુષ્ય શબ્દનો શાબ્દિક અર્થ છે પોષણ કરવુ અથવા પોષણ કરનારા અને આ શબ્દનો શાબ્દિક અર્થ જ પોતાની રીતે આ નક્ષત્રના વ્યવ્હાર અને આચરણમાં ઘણુ બધુ જણાવી દે છે. કેટલાક લોકો પુષ્ય નક્ષત્રને તિષ્ય નક્ષત્રના નામ સાથે સંબોધિત કરે છે. તિષ્ય શબ્દનો અર્થ છે શુભ હોવુ અને આ અર્થ પણ પુષ્ય નક્ષત્રને શુભ્રતા જ પ્રદાન કરે છે. 
 
ગુરૂ પુષ્ય યોગમાં કરવામાં આવેલા ઉપાય 
 
1. આ ગુરૂવારની સાંજે મા લક્ષ્મીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરો અને ત્યારબાદ લક્ષ્મીના ચરણોમાં સાત કોડીયો મુકો. અડધી રાત પછી આ કોડીયોને ઘરના કોઈ ખૂણામાં દાટી દો. આ ઉપાયથી ધન સંબંધિત લાભ થાય છે. 
 
2. ગુરૂ પુષ્યની રાત્રે સ્નાન કરી પીળી ધોતી પહેરો અને એક આસન પર ઉત્તરની તરફ મોઢુ કરીને બેસી જાવ. હવે તમારી સામે સિદ્ધ લક્ષ્મી યંત્રને સ્થાપિત કરો. જે વિષ્નુ મંત્ર સાથે સિદ્ધ થાય અને સ્ફટિક માળાથી નીચે લખેલ મંત્રનો 21 વાળા જાપ કરો. મંત્ર જપ વચ્ચે ઉઠશો નહી.  ભલે પછી તમને ઘૂંઘરુનો અવાજ સંભળાય કે પ્રત્યક્ષ લક્ષ્મી દેખાય. 
 
મંત્ર -  ऊं श्रीं ह्रीं श्रीं ऐं ह्रीं श्रीं फट्
 
આ ઉપાયને વિધિ-વિધાન પૂર્વક સંપન્ન કરવાથી ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ના થાય છે. 
 
3. આ દિવસે  જૂની ચાંદીના સિક્કા અને રૂપિયા સાથે કોડી મુકીને તેનુ કેસર અને હળદરથી પૂજન કરો. પૂજા પછી તેને તિજોરીમાં મુકી દો. આ ઉપાયથી તમારી તિજોરીમાં બરકત કાયમ રહેશે. 
 
4. ગુરૂ પુષ્યની સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કાર્યોથી પરવારીને લક્ષ્મી મંદિરમાં જાવ અને મા લક્ષ્મીને કમળના ફૂલ અર્પિત કરો અને સફેદ રંગની મીઠાઈનો ભોગ લગાવો. માં લક્ષ્મીને ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. થોડા સમયમાં તમારી સમસ્યાનુ સમાધાન થઈ શકે છે. 
 
5. ગુરૂ પુષ્યના દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી  માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને સાધકની મનોકામના પુર્ણ કરી શકે છે. 
 
6. ગુરૂ પુષ્યને સવારે લીલા રંગના કપડાની નાની મોટી થેલી તૈયાર કરો.  શ્રીગણેશના ચિત્ર અથવા મૂર્તિની આગળ સંકટનાશન ગણેશ સ્ત્રોતના 11 પાઠ કરો. ત્યારબાદ આ થેલીમાં 7 મગ, 10ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રૂદ્રાક્ષ, એક ચાંદીના રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ મુકીને જમણા મુખના ગણેશજીને શુદ્ધ ઘી ના મોદકનો નૈવૈધ ચઢાવો.  આ થેલી તિજોરી કે કૈશ બોક્સમાં મુકી દો.  ગરીબો અને બ્રાહ્મણોને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં જલ્દી સુધાર આવી શકે છે. જ્યારે ફરી ગુરૂ પુષ્યનો યોગ બને ત્યારે આ થેલી નદીમાં પ્રવાહિત કરી દો અને નવી થેલી બનાવી લો. 
 
7. ગુરૂવારે સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દિવો પ્રગટાવો. બત્તીમાં રૂને બદલે લાલ રંગના દોરાનો પ્રયોગ કરો. સાથે જ દિવામાં થોડુ કેસર પણ નાખી દો. આ ઉપાયથી ધનનુ આગમન થાય છે. 
 
જાણો પુષ્ય નક્ષત્ર વિશે .. 
 
પ્રાચીન સમયથી જ જ્યોતિષી 27 નક્ષત્રોના આધાર પર ગણનાઓ કરી રહ્યા છે. તેમાથી દરેક નક્ષત્રના શુભ અશુભ પ્રભાવ મનુષ્યના જીવનમાં પડે છે.  નક્ષત્રોના આ ક્રમમાં આઠમા સ્થાન પર પુષ્ય નક્ષત્રને માનવામાં આવે છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ પુષ્ય નક્ષત્રમાં ખરીદવામાં આવેલ કોઈપણ વસ્તુ ખૂબ લાંબા સમય સુધી ટકી રહે છે અને શુભ ફળ પ્રદાન કરે છે કારણ કે આ નક્ષત્ર સ્થાયી હોય છે. 
 
નક્ષત્રોનો રાજા છે પુષ્ય - પુષ્યને નક્ષત્રોનો રાજા પણ કહે છે. આ નક્ષત્ર અઠવાડિયાના વિવિધ વારો સાથે મળીને વિશેષ યોગ બનાવે છે. આ બધાનું એક વિશેષ મહત્વ હોય છે. રવિવર બુધવાર અને ગુરૂવારે આવનારુ પુષ્ય નક્ષત્ર અત્યાધિક શુભ હોય છે. ઋગ્વેદમાં તેને મંગળકર્તા, વૃદ્ધિકર્તા, આનંદ કર્તા અને શુભ કહેવામાં આવ્યુ છે. 
 
માનવનો સહયોગી છે આ નક્ષત્ર
 
પુષ્ય નક્ષત્ર એક અત્યાધિક પ્રભાવશીલ અને માનવનો સહયોગી માનવામાં આવ્યો છે. પુષ્ય નક્ષત્ર શરીરના અમાશય, પાંસળીઓ અને ફેફડાને વિશેષ રૂપે પ્રભાવિત કરે છે. પુષ્ય નક્ષત્ર શુભ ગ્રહોથી પ્રભાવિત થઈને આ અંગોને દ્દઢ પુષ્ટ અને નિરોગી બનાવે છે.  જ્યારે આ નક્ષત્ર દ્રષ્ટ ગ્રહોના પ્રભાવમાં થાય છે ત્યારે આ અંગોને બીમાર અને નબળા કરે છે. 
 
આવા હોય છે પુષ્ય નક્ષત્રમાં જન્મેલા લોકો 
 
પુષ્ય નક્ષત્રમાં જન્મેલા લોકો સર્વગુણ સંપન્ન, ભાગ્યશાળી અને અતિવિશિષ્ટ હોય છે. જોવામાં તેઓ સુંદર, સ્વસ્થ સામાન્ય કદ-કાઠીના અને ચરિત્રમાં વિદ્વાન ચપળ સ્ત્રીપ્રિય અને બોલચાલમાં ચતુર હોય છે. આ નક્ષત્રમાં જન્મેલા લોકો જનપ્રિય અને નિયમ પર ચાલનારા હોય છે અને ખનીજ પદાર્થ પેટ્રોલ કોલસો ધાતુ પાત્ર, ખાણ સંબંધી કાર્ય, કુવા, ટ્યૂબવેલ જળાશય સમુદ્ર યાત્રા પેય પદાર્થ વગેરે ક્ષેત્રોમાં સફળતા મેળવે છે.