શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By

દૂધનો આ નાનકડો ઉપાય કરવાથી ઘરમાં નહી આવે કોઈ કમી

દરેક ઈચ્છે છે કે મા લક્ષ્મી પોતાના ઘરમાં સ્થાયી નિવાસ કરે. આજે અમે તમને કાચા દૂધ સાથે જોડાયેલ આવો જ એક ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જ્યાર પછી મા લક્ષ્મી પ્રસન્ન થશે અને ઘરમાં તેમના સ્થાયી નિવાસની શક્યતાઓ વધી જાય છે. 
 
જ્યારે પણ સમય મળે ઘરમાં કાચુ દૂધ લાવીને મુકી દો. સૂર્યસ્ત સમયે આ દૂધમાં થોડુ ગંગાજળ અને મધ મિક્સ કરો 
 
આ મિશ્રણને સ્વચ્છ વાસણમાં બે ભાગ કરી લો. પહેલા ભાગથી સ્નાન કરો અને બીજા ભાગના મિશ્રણથી ઘરની છત પરથી મુખ્ય દરવાજા સુધી છાંટા મારો. 
 
- મુખ્ય દરવાજાની બહાર બચેલા મિશ્રણની ધારા વહાવી દો. થોડા દિવસ સુધી આવુ કરશો તો ઘરથી નકારાત્મકતા ખતમ થઈ જશે અને ધનની કમી પણ દૂર થશે. 
 
- શનિવારના દિવસે તાંબાના લોટામાં કાચુ દૂધ ગંગાજળ અને થોડા કાળા તલ નાખીને પીપળના ઝાડના જડમાં ચઢાવો 
 
- ત્યારબાદ પીપળના ઝાડની પરિક્રમા કરો અને મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુને યાદ કરીને આર્થિક તંગી દૂર કરવાની પ્રાર્થના કરો