શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 8 જૂન 2015 (13:00 IST)

તમારી સાથે થાય આ સંકેતો, તો સમજો થઈ શકે છે ધનની વર્ષા

જો તમરા શરીરના જમણા ભાગમાં કે સીધા હાથમાં સતત ખંજવાળ થાય તો સમજી લેવુ જોઈએ કે તમને ધનલાભ થવાનો છે. 
 
જો કોઈ સપનમાં જુએ કે તેના પર કાયદાકીય કેસ થઈ રહ્યો છે. જેમા તે નિર્દોષ છૂટી ગયો છે. તો તેને અપાર ધન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. સાથે જ જો સપનામાં મોતી, હીરા, હાર કે મુકુટ દેખાય તો તેના ઘરમાં લક્ષ્મી સ્થાયી રૂપથી નિવાસ કરે છે. 
 
લેવડ-દેવડના સમયે જો પૈસા તમારા હાથમાંથી છૂટી જાય તો સમજવુ જોઈએ કે ધનલાભ થવાનો છે. 
 
દિવાળીના દિવસે જો કોઈ કિન્નર(હિજડો) સજી-ધજીને તૈયાર થયેલ જોવા મળે તો ચોક્કસ ધન લાભ થાય છે. આ ધન લાભ અપ્રત્યક્ષ રૂપે થાય છે. 
 
ગુરૂવારે કુંવારી કન્યા પીળા વસ્ત્રોમાં જોવા મળે તો તેને પણ શુભ સંકેત માનવુ જોઈએ. આ પણ ધન લાભ થવાના સંકેત છે. 
 
કયાક જતી વખતે નોળિયો રસ્તો કાપતો જોવા મળે એ શુભ સંકેત હોય છે. તમે સૂઈને ઉઠો અને એ સમયે નોળિયો તમને દેખાય તો ગુપ્ત ધન મળવાની શક્યતા રહે છે. 
 
સૂઈને ઉઠતા જ સવાર સવારે કોઈ ભિખારી માંગવા આવે તો સમજવુ જોઈએ કે તમારા દ્વારા આપવામાં આવેલુ ઉધાર પૈસા માંગ્યા વગર મળવાના છે. તેથી ભિખારીને તમારા દ્વારેથી ક્યારેય ખાલી હાથ પરત કરશો નહી. 
 
જો કોઈ સ્વપ્નમાં કોઈને ચેક લખીને આપે છે તો તેને વારસામાં ધન મળે છે અને તેના વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે. 
 
બેંકમાં પૈસા જમા કરવા જતા સમયે જો રસ્તામાં ગાય આવી જાય તો તમારા ધન સંબંધિત બધા કાર્ય પુરા થાય છે.