શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 14 માર્ચ 2016 (13:33 IST)

તંત્ર -મંત્ર : સ્મશાનમાં જઈને કરશો આ કામ તો નહી રહે ધનનો અભાવ

જો તમે આર્થિક સમસ્યાઓથી પરેશાન રહો છો તો આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ઘણા ઉપાય પણ અજમાવ્યા હશે  પણ કોઈ લાભ ન મળ્યો હોય તો આનું  એક કારણ તમારી કુંડળીમાં ચન્દ્રમા નબળો હોવાનુ કારણ  પણ  હોઈ શકે છે. આ સ્થિતિમાં ચન્દ્ર્માને મજબૂત કરવાનું આ કાર્ય કરવુ  જોઈએ. 
 
જ્યોતિષ શાસ્ત્રમાં ચન્દ્રમાને ગ્રહોની રાની કહે છે. . ચન્દ્રમા એક અશુભ ગ્રહ છે. અને આ જળ અને માતાનું  કારક હોય છે. ચન્દ્ર્મા તમારા મનને પ્રભાવિત કરે છે. 
 
ચન્દ્રમાને મજબૂત બનાવવા માટે લાલ કિતાબમાં સરળ ટોટકા બતાવ્યા છે . જેને તમે સરળતાથી અજમાવી શકો છો. 
 
જે વ્યક્તિની જન્મકુંડળીમાં ચન્દ્રમા આઠમા ઘરમાં બેસ્યો  હોય તેને જળ ક્ષેત્રથી ભય રહે છે. તેણે નદી, તળાવ ,સરોવર અને   સમુદ્રની  આસ-પાસ કોઈ પણ પ્રકારની અસાવધાનીથી બચવુ  જોઈએ.  
 
લાલ કિતાબ મુજબ આવા માણસોએ  માતાના હાથે  ચોખા કે ચાંદીનો ટુકડો લઈ સંભાળી રાખવો જોઈએ. આથી ધનની પરેશાની નહી રહે છે. માનસિક શાંતિ અને સ્થિરતામાટે સોનાની વીટીમાં મોતી ધારણ કરી પહેરવો જોઈએ. 
 
સ્મશાનનું  નામ સાંભળતા જ મનમાં એક ભય ઉભો થાય છે. પણ લાલ કિતાબમાં એક એવો ઉપાય છે જે સ્મશાનની ભૂમિ પર જઈને જ થાય છે. પણ આ ઉપાય માટે કોઈ તંત્ર-મંત્રની જરૂર નથી . માત્ર આટલું જ કરવુ કે તમે એક નાનકડુ માટીનું  વાસણ લઈ સ્મશાન જાવ .
 
આ વાસણમાં સ્મશાનમાં રહેલ  જળના સ્ત્રોત જેમ કે નળ કે  હેડપંપ વગેરે પરથી પાણી ભરીને તમારા ઘરે લાવો . એમાં ચાંદીનો એક ચોરસ ટુકડો મુકી તેને  ઘરના પૂર્વ દિશામાં એ રીતે સ્થાપિત કરો કે એને કોઈ અડે નહી . 
 
આ ઉપાયથી આર્થિક મામલામાં આવતી બાધાઓ અને કાર્યમાં વાર -વાર આવતા અવરોધો દૂર થાય છે . ચન્દ્ર્મા અષ્ઠમ ભાવ પર હોય તો આ ઉપાય ખૂબ લાભકારી થાય છે.