1. મનોરંજન
  2. પર્યટન
  3. પર્યટન દિવસ
Written By
Last Modified: શુક્રવાર, 10 મે 2024 (16:27 IST)

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

ચાર ધામ યાત્રા પર એકલા કે તમારા માતા-પિતાની સાથે દર્શન માટે જઈ રહ્યા લોકોને આ જાણવુ જરૂરી છે કે કયાં ધામ સુધી પહોંચવા માટે તેણે મુશ્કેલીઓનો સામનો કરવુ પડી શકે છે. તેની જાણકારી પહેલા જ થતા તે તેમની યાત્રા માટે ઘણા પ્રકારની વ્ય્વસ્થા પહેલા થી જ કરી શકે છે. 

શું તમે જાણો છો કે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાંથી કયું ધામ પહોંચવું સૌથી મુશ્કેલ છે? જ્યાં જવાનો માર્ગ અન્ય ધામો કરતાં વધુ મુશ્કેલ છે. મુસાફરી કરતા પહેલા તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે તે તમારા માટે પ્રવાસ પૂર્ણ કરવાનું સરળ બનાવશે.

Gangotri dham
ચારધામ યાત્રા હરિદ્વારથી ગંગા સ્નાન સાથે શરૂ થાય છે. જે પ્રવાસીઓ મુશ્કેલ ટ્રેક કરી શકતા નથી તેઓએ બદ્રીનાથ અને ગંગોત્રીની મુલાકાત લેવાનું પસંદ કરવું જોઈએ કારણ કે તેઓ પહોંચવા માટે સરળ છે. જો તમે ચારો ધામની યાત્રા કરી રહ્યા હોવ તો તેને પૂર્ણ કરવામાં કુલ 10 થી 12 દિવસનો સમય લાગે છે. તેથી, અગાઉથી ચાર ધામ યાત્રા પર લેવા માટેની મહત્વપૂર્ણ બાબતોની સૂચિ બનાવો.
 
ચારધામ યાત્રા પર જઈ રહ્યા લોકોને આ જાણકારી હોવી જોઈએ કે માત્ર બે મંદિરો સુધી જ તે સરળતાથી પહોંચી શકે છે. તેમાં બદ્રીનાથ અને ગંગોત્રી શામેલ છે. બીજા  બે મંદિરના રસ્તા મુશ્કેલ છે જેમાં સૌથી વધારે મુશ્કેલ કેદારનાથ છે. 

 
ચાર ધામ યાત્રામાં કયુ ધામ સૌથી ઉપર છે 
ગંગોત્રી સમુદ્ર સપાટીથી ઉપર – 11,204
બદ્રીનાથ સમુદ્ર સપાટીથી ઉપર - 10,170
સમુદ્ર સપાટીથી ઉપર યમુનોત્રી – 10,804
દરિયાની સપાટીથી ઉપર કેદારનાથ – 11,755
 
હિમવર્ષાના કારણે આ ચાર ધામોમાં વાતાવરણ ઠંડું રહે છે. એવા ઘણા પ્રવાસીઓ છે જેઓ ચાર ધામની મુલાકાત લીધા પછી 13,200 ફૂટની ઊંચાઈએ આવેલા ગોમુખની પણ મુલાકાત લે છે. જો કે, અહીં જવું એટલું સરળ નથી. તે 13,200 ફૂટની ઉંચાઈ પર આવેલું છે.

Edited By- Monica sahu