મંગળવાર, 30 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. વસંત પંચમી
Written By
Last Modified: મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (16:03 IST)

વસંત પંચમીએ આ પ્રસાદ ચઢાવવાથી માતા સરસ્વતી થાય છે પ્રસન્ન

vasant panchmi prasad
વર્ષ 2024માં  વસંત પંચમીસંત પંચમીની તારીખ 13 ફેબ્રુઆરી 2024 મંગળવારના રોજ બપોરે 2.41 કલાકે હશે. વસંત પંચમી તિથિ 14 ફેબ્રુઆરી, બુધવારે રાત્રે 12.09 મિનિટે સમાપ્ત થશે.

વસંત પંચમીસંત પંચમીના દિવસે પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
 
આ દિવસે દેવી સરસ્વતીને પીળા લાડુ ચઢાવો.
 
વસંત પંચમીના દિવસે પીળા રંગના મીઠા ચોખા ચઢાવવા પણ ખૂબ જ શુભ હોય છે. આ દિવસે પીળા કેસર ચોખા તૈયાર કરીને દેવી સરસ્વતીની પૂજા માટે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે પીળા રંગની મીઠાઈઓ ચઢાવવાથી તમામ દુ:ખ દૂર થાય છે અને દેવી સરસ્વતીની કૃપા પ્રાપ્ત થાય છે.
 
વસંત પંચમીના દિવસનું ઘણું મહત્વ છે. બસંત પંચમીનો દિવસ અબુઝ મુહૂર્ત તરીકે ઓળખાય છે. આ દિવસે લગ્ન અને કોઈપણ નવા કાર્યની શરૂઆત કરી શકાય છે.