1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ લેખ
Written By સુધિર પિમ્પલે|

દિગ્વિન્યાસ-પ્રાચી સાધન

NDN.D

મકાનનું નિર્માણ, હવેલીનું નિર્માણ, રાજપ્રસાદ નિર્માણ, ગામ તેમજ નગરોનાં નિયોજનનો મહત્વપૂર્ણ સિધ્ધાંત તેમજ મૂળ આધાર પર સાચી દિશાઓ નક્કી કરવાની હોય છે. આને પ્રાચી સાધન પણ કહેવામાં આવે છે. આમાં સૌથી પહેલા પૂર્વ દિશા નક્કી કરવામાં આવે છે ત્યાર બાદ અન્ય દિશાઓ- પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તેમજ ઉપદિશાઓ-ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય- નક્કી કરીને વાસ્તુપદ વિન્યાસ કરવામાં આવે છે.

શાસ્ત્રોમાં સૂર્ય તથા શંકુ તેમજ રસ્સીઓની સહાયતાથી આની છાયાના પ્રતિબિંબના આધાર પર પૂર્વ દિશા નક્કી કરવાના તથા ધ્રુવ તારો તથા તારાઓ તેમજ નક્ષત્રોના આધાર પર દિશા નક્કી કરવાની અલગ અલગ ગ્રંથોમાં અલગ અલગ રીતો જણાવવામાં આવી છે. શિલ્પરત્ન ગ્રંથમાં દિશા નક્કી કરવા માટે ચુંબકીય સોયનું વર્ણન કરવામાં આવ્યું છે.