શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

સ્ત્રીઓએ ઘરમાં કરવા જોઈએ આ 5 કામ, ક્યારેય નહી આવે પૈસાની કમી

શસ્ત્રોમાં મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. લગ્ન પછી જે ઘરમાં તે જાય છે તેનુ ભાગ્ય એ ઘર સાથે જોડાય જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેને કરવાથી ઘરમાં હંમેશા સુખ શનતિ બની રહે છે. સાથે જ જો આ ઉપાયોને કરવામાં આવે તો પૈસા અને સંપત્તિની ક્યારેય કમી રહેતી નથી. 
 
- વાસ્તુ મુજબ ઉત્તર પૂર્વ દિશામાં બનેલ મંદિરમાં રોજ સાફ સફાઈ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે.  કારણ કે આ દિશામાં મંદિર હોવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઘર પર બની રહે છે. 
 
- તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓને આવતી રોકવા માટે ઘરના મેન દરવાજાને રોજ ધોવુ જોઈએ.  અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર ગંગાજળ અને કાચા દૂધથી પણ ધોવુ જોઈએ. 
 
-સ્ત્રીઓએ ક્યારેય પણ સૂતા પહેલા પોતાના વાળ ન ધોવા જોઈએ. સાથે જ સૂતા પહેલા રસોડામાં એક ડોલ ભરીને જરૂર મુકો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કારણ કે ખાલી બકેટ મુકવાથી ઘરમાં તનાવ અને ચિંતા રહે છે.