બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (15:39 IST)

Vastu Tips: ઘરમાં મુકેલી આવી વસ્તુઓ હોય છે અશુભ, વાસ્તુ અનુસાર તેને બરાબર મુકો

ઘરમાં કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જે વાસ્તુ મુજબ  યોગ્ય રહેતી નથી, જેના કારણે ઘણી સમસ્યાઓ થાય છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઘરમાં આવી જ કેટલીક વસ્તુઓ વિશે જે ઘરમાં અપશુકનતા લાવે છે. વાસ્તુ મુજબ આ બાબતો સમયસર સુધારવી જોઈએ. તેનાથી ઘરમાં અશુભ્રતા રહેતી નથી અને ઘરમાં ધન-સંપત્તિ વધે છે. ચાલો આવી વસ્તુઓ વિશે જાણીએ:
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની સામે કોઈ ઝાડ ન હોવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે આ તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ રોકે છે. ઘરના દરવાજા સામે કોઈ કૂવો પણ ન હોવો જોઈએ.
 
જો ઘરનો મુખ્ય દરવાજો ખરાબ છે તો તરત જ તેને સુધારી દો. એવું કહેવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજામાં ખામી હોવાને કારણે ઘરમાં પૈસાની કમી રહે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. તો તરત જ ઘરનો દરવાજો સુધારી દો
 
ઘરની દક્ષિણ- પશ્ચિમ ખૂણામાં હંમેશાં ભારે પદાર્થ મૂકવો જોઈએ. કહેવાય છે કે આવુ કરવાથી રાહુ ગ્રહને ઠંડક મળે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ દિશામાં શૌચાલય બનાવવું જોઈએ નહીં. આ દિશામાં શૌચાલય બનાવવાથી ઘરમાં રાહુનો પ્રભાવ રહે છે. ઘરના લોકોને માનસિક સમસ્યા થાય છે.
 
ઘરના વચ્ચેનુ કેન્દ્ર એટલે કે એ મધ્ય સ્થાન હંમેશા ખાલી રાખવુ જોઈએ. આ સ્થાન પર ભારે સામાન મુકવો કે ગંદકી કરવી અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરના સભ્યોને પરેશાની થાય છે.