શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 26 સપ્ટેમ્બર 2018 (02:09 IST)

Vastu Tips - વાસ્તુ મુજબની કેટલીક માન્યતાઓ, જાણો અને તેનો લાભ ઉઠાવો

- જમણો કાન ફડકે તો, સારા સમાચાર મળે છે, અને ઈચ્છા પૂર્ણ થાય છે .  
 
- પુરુષોની જમણી અને સ્ત્રીની ડાબી આંખ ઝપકે તો અશુભ ફળ હોય છે, પરંતુ બંનેને તેનાથી વિપરીત હોય તો શુભ છે. 
 
- કોઈ પણ કાર્ય કરવા જતી વખતે ચા પીવાનુ પુછવામાં આવે તો કાર્ય  નિષ્ફળ જાય છે .  
 
- ઘરની બહાર જતી વખતે અથવા નવા કાર્ય શરૂ કરતા સમયે ભેંસ દેખાય તો શુભ હોય છે. 
 
- ઘર સામે કૂતરો રડે તો તે દિવસ કોઈ  ખાસ  કામ ન કરવું . 
 
- ક્યાંક જતી સમયે લાકડીઓ સાથે ખેડૂત દેખાય તો કાર્ય પરિપૂર્ણ થાય છે  . 
 
- ક્યારેય અધુરુ બનેલુ મકાન, જેમને બાળકો ન હોય તેવી વ્યક્તિનુ મકાન અથવા ખંડેર બનેલી ફેક્ટરી ન ખરીદવી  જોઈએ. 
 
- શૌચાલય ક્યારે પણ મુખ્ય દ્વાર પાસે ન હોવુ જોઈએ. 
 
- સીડી નીચે બાથરૂમમાં અથવા રસોડુ  ન હોવુ  જોઈએ. 
 
- ઘરની સામે અથવા 100 ફૂટ અંદર ચર્ચ, મંદિર, જજઘર, ગુરુદ્વારા,મસ્જિદ,મંદિર કે અન્ય ધાર્મિક સ્થળ ન હોવુ જોઈએ. 
 
- પાણીની ટાંકી ઉત્તર દિશામાં હોવી જોઈએ.  
 
- ક્યાંક જતી વખતે ચકલી બિટ કરી દે તો ખૂબ જ સારુ શકુન છે. 
 
- પાલતૂ કૂતરો જો તમારા સામે જોઈ ભસે તો તમારી પર કોઈ મુશ્કેલી આવવાની છે. આવા સમયે બહાર જવાનું ટાળી દો.
 
- ક્યાંક જતી વખતે જો સામેથી શબયાત્રા આવતી જુઓ તો તમને આર્થિક લાભ થાય છે . 
 
- જો એપાર્ટમેન્ટમાં કે ઘરમાં દાખલ થતાં જ્યારે શ્વાસ  ઝડપ વધારે છે તો ઘરમાં વાસ્તુદોષ છે . 
 
- કિચન સ્ટોવ, જનરેટર , ઈન્વર્ટર, ઇલેક્ટ્રિક મોટર દક્ષિણ પૂર્વમાં ખૂણામાં રાખવા જોઈએ. 
 
- ભૂલથી પણ ક્યારેય પણ  બેડરૂમમાં અને રસોડામાં પૂજાસ્થાન ન રાખવુ જોઈએ. 
 
- બાથરૂમ, ટોયલેટ -દક્ષિણ-પશ્ચિમ ખૂણો, ઉત્તર-પશ્ચિમ કોણ, દક્ષિણ અને પશ્ચિમ દિશામાં બનાવી શકો છો. 
 
- દરવાજો લગાવ્યા વગર, પૂજા કર્યા વગર, બ્રાહ્મણને ભોજન કરાવ્યા વગર ક્યારેય નવા મકાનમાં દાખલ ન થવુ. 
 
- મંદિર નજીક બેઠા કોઈ ભૂખ્યાને કે કોઈ ગરીબને  ભરપેટ ભોજન કરાવવા માટે ઘરેથી ભોજન બનાવી લઈ જવુ.