મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

મહિનામાં એકવાર બાથરૂમમાં મીઠાનો ઉપાય કરો, ઈનકમ વધી શકે છે

ફક્ત આ એક વાત પરથી જ મીઠાનુ મહત્વ સમજી શકાય છે કે ખાવામાં મીઠુ ન હોય તો શાહી જમવાનુ પણ બેસ્વાદ લાગે છે. મીઠુ ખાવાનો સ્વાદ વધારે છે. આ વાત તો બધા જ જાણે છે. પણ આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે કે મીઠાથી કેટલાક ચમત્કારી ઉપાયો પણ થઈ શકે છે. આ ઉપાયોથી મહાલક્ષ્મીની કૃપા પણ મેળવી શકાય છે. 
 
મીઠાથી કરવામાં આવતા ઉપાયોથી ઘરના બધા સભ્યોના વિચાર સકારાત્મક થઈ શકે છે. મીઠુ ફક્ત ખાવાની વસ્તુ નથી. પણ તેનાથી વાસ્તુ દોષ પણ દૂર કરી શકાય છે.  
 
અહી જાણો મીઠાના ખાસ ઉપાય... 
 
વાસ્તુ શાસ્ત્રમાં જીવનને સુખી અને સમૃદ્ધિશાળી બનાવવા માટે અનેક અચુક ફંડા બતાવાયા છે. જો કોઈ ઘરમાં વાસ્તુદોષ છે અને તેનો યોગ્ય ઉપચાર નથી થઈ રહ્યો તો બાથરૂમમાં એક વાડકી આખુ મીઠુ મતલબ મીઠાનાં ગાંગડા સમુદ્રી મીઠુ મુકો. આવુ કરવાથી ઘરની અનેક પ્રકારની નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જશે અને સકારાત્મક ઉર્જાનુ બળ પ્રાપ્ત થવા માંડશે. દરેક મહિને વાડકીનુ મીઠું બદલી નાખો.  જુનુ મીઠુ ફેંકી દેવુ જોઈએ.