શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : સોમવાર, 27 એપ્રિલ 2015 (17:27 IST)

ઘરમાં ક્યાં અને કેવી રીતે રાખશો અરીસો

અરીસા , જેના વગર તમારી સુંદરતા અધૂરી છે સમજો- એ અરીસો જ છે , જે તમારી સુંદરતાને કોનફીડેંસના સાથે જોડી રાખે છે . પણ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યુ  છે કે અરીસો યોગ્ય  દિશા અને યોગ્ય  સ્થિતિમાં હોય તો ફાયદા અને ન હોય તો નુકશાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ..  
 
* તમે જ્યાં રહી રહ્યા હોય જ્યાં તમારા ઑફિસ હોય ત્યાં ઉતર પૂર્વ દિશામાં અરીસો  લગાવવો  જોઈએ. તમે જોશો કે આવકમાં વૃદ્ધિ તો શરૂ થશે જ સાથે  જ કમાણીના રસ્તામાં આવતા અવરોધો પણ દૂર થશે. 
 
* અરીસો લગાવતી વખતે  એ  જરૂર ધ્યાન રાખો  કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું  પ્રતિબિંબ નજર આવી રહ્યુ  હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. 
 
* ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં ચારેબાજુ અરીસો  ન લગાવવો  જોઈએ. આવી વ્યવ્સ્થા ઘરના લોકોને અસંમજસમાં નાખે છે. 
* જો ઘરમાં કોઈ ભાગ એવો હોય , જ્યાં અધારું જ રહે છે તો આવી જ્ગ્યાએ ગોળ અરીસો  લગાવીને રાખો. આ નેગેટિવ એનર્જીને ભગાડવાની ક્ષમતા રાખે છે.  
 
* જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
* કહેવાય  છે કે અરીસો  જેટલો મોટું હોય એ સારું. ઘરમાં અરીસાની સંખ્યા કેટલી પણ હોય ! પણ અરીસાના ઘણા બધા ટુકડા એક્સાથે ન રાખવા જોઈએ. કારણકે એ અરીસામાં તમારુ  શરીર ખંડીત નજર પડશે એ સારું  નહી કહેવાય. 
 
* વાસ્તુ શાસ્ત્ર મુજબ અરીસાને ઢાંકીને રાખવો  જોઈએ. સારું રહેશે  કે અરીસો તિજોરીની અંદર ફિટ કરાવો . 
 
* અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો  કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે. 
 
* ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય. આવા અરીસા નેગેટિવ એનર્જી આપે છે.