શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (17:02 IST)

માત્ર એક ગ્લાસ પાણીથી દૂર કરો ઘરની નેગેટિવ ઉર્જા, આ રીતે કરો ગ્લાસ વાટર ટેસ્ટ

શું તમને તમારા ઘરમાં નકારાત્મકતાનો અનુભવ થઈ રહ્યો છે. કઈક એવું જેના કારણે ઝગડા, નુકશાન, રોગ વગેરે થઈ રહ્યા હોય.  તો તમારે ગ્લાસ વાટર ટેસ્ટ કરીને જરૂર જોવું જોઈએ કે ક્યાક તમારી સાથે કોઈ નકારાત્મક ઉર્જા તો નથી રહેતી ? 
જ્યારે ઘરના સભ્યો કે પાલતૂ  જાનવર અસામાન્ય વ્હવહાર કરવા લાગે, વગર કોઈ કારણે તમારા પૈસા ખર્ચ થવા લાગે, બાળક ખોટા રસ્તા પર ચાલવા લાગે અને તમારા છોડ આપમેળે સૂકવા માંડે તો આ બધું એ વાતનો સંકેત છે કે તમારુ  ઘર નકારાત્મક ઉર્જાથી ભરાય ગયું છે. 
 
હમેશા લોકો આવી વાતથી ડરી જાય છે અને ઉતાવળમાં કેટલાક નિર્ણય લઈ લે છે જેવુ કે ઘર છોડી દેવુ  કે પછી ફરીથી ઘર બનાવવું. પણ તેનાથી પણ કોઈ અસર નથી થતી. 
 
હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રમાં ખૂણામાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાના ઘણા ઉપાય જણાવ્યા છે. વાસ્તુશાસ્ત્ર પરથી ઘણી મુશ્કેલીઓ સમસ્યાઓનું  નિવારણ મળી જાય છે. 
નેગેટિવ વાઈબ્રેશન- તમને પહેલા એ સમજવું પડશે કે નકારાત્મક ઉર્જા ક્યારે પણ તમારા વ્યકતિગત સ્થાન પર આક્રમણ કરી શકે છે. એ તમારા કે તમારા ઘરની આસપાસ નકારાત્મક ઘેરો બનાવી લે છે. ધ્યાન રાખવાની વાત એક વાત જીવનમાં તમને એ જ મળે છે જે તમે આપો છો. સકારાત્મક વસ્તુઓ ખોવા માંડે છે- આમ તો કેટલાક ખોટા નિર્ણયના કારણે પણ આપણને નુકશાન સહન કરવુ પડે છે. જેમ કે ખોટા રોકાણમાં પૈસા લગાવવા, તમારા બાળકના ખોટા મિત્રો સાથે સંપર્ક કરવો કે તમારા સાથીની ભાવનાઓની કદર ન કરવી. પણ તેના માટે સૌથી પહેલા નેગેટિવ એનર્જીની જાણ લગાવવી જરૂરી છે. 
 
ગિલાસ વાટર ટેસ્ટ- માત્ર એક ગ્લાસ પાણીથી તમને ખબર પડી શકે છે કે ખરેખર તમારા આસપાસ કોઈ નકારાત્મક ઉર્જા છે કે નહી અને એક વાર જ્યારે નક્કી થઈ 
 
જાય તો તમે તેણે દૂર કરવાના ઉપાય કરી શકો છો. અમે તમને કેટલાક ઉપાય જણાવી રહ્યા છે, જેનાથી તમે નેગેટિવ એનર્જાથી છુટકારો મેળવી શકો છો. 
 
આ છે ઉપાય- તેના માટે તમે એક પારદર્સ્ગી ગ્લાસ લઈ લો જે ક્યાંથી પણ તૂટેલો ન હોય. તેના પર કોઈ નિશાન ન હોય અને કોઈ ફિંગરપ્રિંટ પણ ન હોય. 
 
આખા સમય ગ્લવસ પહેરા રહો જેથી ગ્લાસ પર તમારી ઓળખ ન રહે. હવે ગિલાસ 1/3 ભાગને સી સાલ્ટથી ભરી લો. માત્ર સી સાલ્ટ જ ઉપયોગ કરો ન જે કોઈ સાદો મીઠું. ગ્લાસના 2/3 ભાગમાં સફેદ સિરકો ભરો. ધ્યાન રાખો કે આ પદાર્થેને આપસમાં મિકસ ન કરવું. હવે ગિલાસના વધેલા ત્રીજો ભાગમાં સાફ પાણી  ભરી લો. ગિલાસના પદાર્થને આપસમાં મિક્સ ન કરવા. 
 
જગ્યા શોધો- 
હવે ગિલાસને તે સ્થાને લઈ જાઓ જ્યાં તમને નકારાત્મક ઉર્જા વધારે અનુભવ થાય છે. જ્યારે તમે તે સ્થાન શોધી લો ત્યારે તમે એવી જગ્યા શોધો જ્યાં ગિલાસને સરળતાથી છિપાવી શકો. ધ્યાન રાખો કે આ બધું દિવસના સમયમાં કરો. ગિલાસને સારી રીતે છુપાવો. તેને એવા કોઈ સ્થાન પર મૂકો જ્યા6ઠીએ સરળતાથી જોવાઈ શકે. જેમકે પથારીના પાસે, બાળકોના સ્ટડી ટેબલ પાસે કે ડાયનિંગ ટેબલ પાસે વગેરે સ્થાનો પર ન મૂકવૂં. 
 
ગિલાસ કે પાણીના રંગરૂપમાં પરિવર્તન જુઓ- ગિલાસને 24 કલાક સુધી હાથ ન લગાડવા. તેને બાળકોથી દૂર રાખવું. 24 કલાક પછી ગિલાસની તપાસ કરો. જો પાણી અને પદાર્થ સાફ જોવાય તો ચિંતાની કોઈ વાત નહી પણ જો તમે કે ગ્લાસના પદાર્થ ધુંધળા કે હળવા લીલા રંગના થઈ ગયા છે તો ઘરના બીજા ભાગમાં પણ આ પ્રક્રિયાને કરો. 
 
પરિવર્તન પર ધ્યાન આપો- જો તમે આ રીતે પરિવર્તન જુઓ છો તો તમારા ઘરને રિએનજાઈન કરવાની જરૂર છે. તેના માટે તમે વાસ્તુશાસ્ત્ર કે ફેંગશુઈની સહાયતા લઈ શકો છો. જેથી તમે તમારા ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરી સકારાત્મક ઉર્જા ભરી શકો છો.