વાસ્તુ શાસ્ત્ર અને અંકોના ખાસ સંબંધ ગણાય છે. વાસ્તુની દરેક દિશાના સંબંધ કોઈના કોઈ ગ્રહ સાથે હોય છે. . જો અંકોને ધ્યાનમાં રાખતા એમની સાથે સંબંધિત દિશામા 1-1 વસ્તુ મુકવામાં આવે તો એનાથી ઘણા લાભ થાય છે.
એ માટે તમારે તમારી જન્મ તારીખનો સિંગલ ડિજીટ નંબરમાં કાઢવો પડશે.
એટ્લે કે તમારી જન્મ તારીખ 12 છે તો તમારા અંક લકી નંબર થશે = 3
જો તમારી જન્મ તારીખ છે 29 તો અંક થશે 2+9 = 11 આ બે અંકોના ફરી સરવાળા કરો 1 + 1 =2
ગ્રહ સૂર્ય લકી દિશા-પૂર્વ
જે લોકોનો જન્મ અંક 1 છે તેમણે પૂર્વ દિશામાં વાંસળી રાખવી જોઈએ.
ગ્રહ ચંદ્રમા લકી દિશા- ઉત્તર પશ્ચિમ
જે લોકોના જન્મ અંક 2 હોય છે તેમણે ઘરની આ દિશામાં સફેદ રંગના શો-પીસ રાખવા જોઈએ.
ગ્રહ- બૃહસ્પતિ લકી દિશા- ઉત્તર-પૂર્વ
જે લોકોના જન્મ અંક 3 હોય , તેમણે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ રાખવા જોઈએ.
ગ્રહ- રાહુ લકી દિશા- દક્ષિણ-પશ્ચિમ
જે લોકોના જન્મ અંક 4 હોય , તેમણે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં અરીસો લગાવવો જોઈએ.
ગ્રહ- બુધ લકી દિશા- ઉત્તર
જે લોકોના જન્મ અંક 5 હોય , તેમણે ઘરની ઉત્તર દિશામાં લક્ષ્મી કે કુબેરની મૂર્તિ રાખવી જોઈએ .
ગ્રહ- શુક્ર લકી દિશા- દક્ષિણ-પૂર્વ
જે લોકોના જન્મ અંક 6 હોય, તેમણે ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં મોરપીંછ રાખવુ જોઈએ .
ગ્રહ- બૃહસ્પતિ લકી દિશા- ઉત્તર-પૂર્વ
જે લોકોના જન્મ અંક 7 હોય , તેમણે ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રૂદ્રાક્ષ રાખવો જોઈએ .
ગ્રહ- શનિ લકી દિશા- પશ્ચિમ
જે લોકોના જન્મ અંક 8 હોય , તેમણે ઘરની પશ્ચિમ દિશામાં કાળા રંગના ક્રિસ્ટલ રાખવા જોઈએ .
ગ્રહ- મંગળ લકી દિશા- દક્ષિણ
જે લોકોના જન્મ અંક 9 હોય , તેમણે ઘરની દક્ષિણ દિશામાં પિરામિડ રાખવા જોઈએ .