શનિવાર, 27 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

ૐ શબ્દમાં છુપાયુ છે સુખ સમૃદ્ધિનું રહસ્ય

P.R
સૃષ્ટિના આરંભમાં એક ધ્વનિનું ગૂંજન થયુ ૐ અને આખા બ્રહ્માંડમાં આની ગૂંજ ફેલાય ગઈ. આ શબ્દથી ભગવાન શિવ વિષ્ણુ અને બ્રહ્મા પ્રકટ થયા. આથી ૐ ને બધા મંત્રોના બીજ મંત્ર રૂપે અને ધ્વનિયો અને શબ્દોની જનની કહેવાય છે.

ૐ શબ્દના નિયમિત ઉચ્ચારણ માત્રથી દેહમાં સ્થાપિત આત્મા જાગૃત થઈ જાય છે. અને રોગ અને તણાવથી મુક્તિ મળે છે. આથી ધર્મગુરૂ ૐ ના જાપ કરવાની સલાહ આપે છે જેથી વાસ્તુવાદીનું માનવુ છે કે ૐ શબ્દના પ્રયોગથી વાસ્તુ દોષોને પણ દૂર કરી શકાય છે.

ૐ શબ્દ અ, ઉ, મ તથા ચંદ્રથી મળીને બનેલો છે. વાસ્તુ દોષને પણ દૂર કરવા આ શબ્દનો પ્રયોગ થાય છે. જેના ઘર માં ઉત્તર દિશામાં વાસ્તુ દોષ હોય તેને ઉત્તર દિશામાં "અ" લખીને દીવાર પર ચોંટાડી દેવું જોઈએ.

દક્ષિણ દિશામાં વાસ્તુદોષ હોય તો "મ" પૂર્વ દિશામાં ચન્દ્ર બિદું લખીને અને પશ્ચિમ દિશામાં "ઉ"લખીને દીવાલ પર લગાવવા જોઈએ. ઘર ના મધ્ય એટલે બ્રહ્મસ્થાનમાં ઘંટી લગાવવાથી બધા વાસ્તુ દોષ સમાપ્ત થઈ જાય છે.