Webdunia RSS મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર (Astrology Gujarati)
જ્યોતિષ 2012
2012 : કેવુ રહેશે નવુ વર્ષ 2012 જ્યોતિષની દ્રષ્ટિએ

P.R

વર્ષ ર૦૧રમાં ૧લી જાન્યુઆરીની સવારે ધનુ લગ્નમાં સૂર્યનો ઉદય થઇ રહ્યો છે. આ દિવસે સૂર્ય ધનુ રાશિના ૧૬મા અંશમાં હશે. ચંદ્ર ઉત્તરભાદ્ર નક્ષત્ર મીન રાશિના ૧૪મા અંશમાં હશે. મંગ્રળ ગ્રહ પૂર્વફાલ્ગુની નક્ષત્ર સિંહ રાશિના ર૭મા અંશમાં હશે. બુધ ગ્રહ જ્યેષ્‍ઠા નક્ષત્ર રાશિના ર૬મા અંશમાં હશે. ગુરુ ગ્રહ અશ્વિની નક્ષત્ર મેશ રાશિના ૭મા અંશમાં હશે. શુક્ર ગ્રહ શ્રવણ નક્ષત્ર અને મકર રાશિના ર૦મા અંશમાં હશે. શનિ ગ્રહ ચિત્રા નક્ષત્ર અને તુલા રાશિના પાંચમા અંશમાં હશે. રાહુ જ્યેષ્‍ઠા નક્ષત્ર અને વૃશ્ચિક રાશિના ૧૯મા અંશમાં જ્યારે કેતુ એ રોહિણી નક્ષત્ર અને વૃષના ૧૯મા અંશમાં હશે. અન્ય
વાસ્તુ : ગૃહપ્રવેશ સમયે કળશ કેમ મુકવો જોઈએ ?


ધર્મ, આસ્થામાં માનતો સામાન્ય વ્યક્તિ હોય કે પછી સાયન્સ સાથે સીધો જોડાયેલો તબીબ કક્ષાનો માણસ હોય પણ નવું મકાન બનાવે, મકાન બદલે ત્યારે ગૃહપ્રવેશ ટાણે કળશ મૂકવાની પરંપરા આ સૌમાં એકસમાન રીતે જોડાયેલી છે. ક્યાં કારણોસર નવું મકાન બનાવતી વખતે કે એક ઘરમાંથી બીજા ઘરમાં સ્થળાંતર કરતી વેળાએ ગૃહપ્રવેશ સમયે આ કળશ મૂકાય છે તે સમજવું જરૂરી છે. આખરે કળશ મુકવાનું કારણ શું હોઈ શકે ? શું આ કેવળ એક પરંપરા છે? કળશ રાખવાથી શું ફાયદો થાય ? આ પ્રકારના અનેક સવાલ આપણા મનમાં ઉદભવે છે. તો શાસ્ત્રો અને વિજ્ઞાન બંનેની દષ્ટી એ તેમાં ભરવામાં આવતી વસ્તુઓથી આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને નકારાત્મક ઉર્જા બહાર જાય છે. જ્યારે પણ કોઈ નવું મકાન બનાવવાની ઈચ્છા હોય ત્યારે ખરીદતી વખતે તેમાં કળશ જરુર મુકવો. આ કળશને દૂઘ, મધ, અનાજ કે પાણીથી ભરીને રાખવો. પરંતુ નવા મકાનમાં કળશ રાખવો ભૂલવો નહીં. કળશની આકૃતિ સકારાત્મક ઉર્જાને આકર્ષે છે. તેમની સાથે મૂકવામાં આવેલી સામગ્રી જેમકે દૂધ, પાણી, મધ અને અનાજના પ્રભાવથી સકારાત્મક ઉર્જા ગ્રહણ થઈ શકે છે.