મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
અરીસો કેટલો યોગ્ય કેટલો અયોગ્ય.

- આપણે અરીસાનો ઉપયોગ ખાસ કરીને ચહેરો જોવા માટે જ કરતા હોઇએ છીએ માટે તે હંમેશા આપણી માથાની ઉંચાઇ સુધીનો હોવો જોઇએ.

- કુદરતી પ્રકાશ મેળવવા માટે એક કરતા વધુ અરીસા લગાવો.

- ખાસ ધ્યાન રાખો કે તમારા પલંગમાં ક્યારેય અરીસો ન લાગેલો હોવો જોઇએ.

- અરીસો એવી જ્ગ્યાએ કદી પણ ન લગાવો જ્યાંથી તમારા પલંગનું પ્રતિબિંબ પરાવર્તિત થતું હોય.

- ઓફીસમાં અને ઘરમાં અષ્ટકોણીય અરીસાઓ હોય તો તેનાથી સકારાત્મક ઉર્જાનો ઉદભવ થાય છે.

- જો તમારા બેડરૂમમાં અરીસો હશે તો તે પતિ પત્ની વચ્ચે દરાર પેદા કરે છે તેથી તે કોઇ એવી જ્ગ્યાએ રાખો જ્યા તમારા પલંગનું પ્રતિબિંબ તેની પર ન પડે.

- તમારો મેકઅપ તમે બાથરૂમ અથવા કોઇ એવા અરીસાની સામે કરો જ્યાં તમે તેને આરામથી કવર કરી શકો.

- તમારા મુખ્ય દરવાજાની સામે પણ કદી અરીસો ન રાખશો.

- ઘરમાં તુટેલો અરીસો પણ કદી ન રાખશો તે પણ તમને નુકશાન કરી શકે છે.

પારૂલ ચૌધરી
ઘણું બધુ
બારી બારણાંઓનું મહત્વ