મુખ પૃષ્ઠ > જ્યોતિષશાસ્ત્ર > ફેંગશુઈ > સલાહ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ફેંગશુઈની ઘર માટે જરૂરી ટીપ્સ
N.D

* ચીની સિક્કાઓને મુખ્ય દરવાજાની સાથે લાલ દોરા વડે બાંધીને અંદરની તરફ લટકાવો અથવા આ સિક્કાઓને તમે તમારા પર્સમાં પણ રાખી શકો છો.

* ચીની અંદર એક અદ્રશ્ય શક્તિ છે જે મનુષ્ય અને વાતાવરણને જોડે છે. આનો ઉપયોગ કરીને તમે તમારા ભાગ્યને સુધારી શકો છો.

* ચીને બ્રહ્માંડીય ઉર્જા પણ કહે છે. આ મસ્તિષ્ક અને પદાર્થને પણ સંયુક્ત કરે છે. આ એક એવા બોલ સમાન હોય છે જે પ્રાકૃતિક ચક્રોને એકબીજાની સાથે જોડીને રાખે છે.

* ચી શરીરની જીવનશક્તિ છે. જ્યારે ચી ઘર કે રૂમની મધ્યમાં પ્રવાહીત થાય છે તો એક પ્રકારના સુખદાયી અને ઉત્સાહવર્ધક વાતાવરણનું નિર્માણ થાય છે.

* શિવલીંગ અને આકડાના મૂળની ગણેશજીની મૂર્તિ પણ તમે તમારા ઘરમાં રાખી શકો છો. આની પૂજાનું વિશેષ મહત્વ છે.

* ક્રિસ્ટલ એટલે કે પારદર્શક કાચના બોલથી બનાવેલ જુદા જુદા દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ સૌભાગ્ય વૃધ્ધિ માટે ઘરમાં શુભ સ્થળો પર મુકવાથી લાભ થાય છે.

* ફેંગશુઈમાં દર્પણનો પ્રયોગ પણ ઉપયોગી છે. આ આપણા ઘરની અંદર આવતાં ખરાબ પ્રભાવોને દૂર કરે છે. આને બારીની પાસે લટકાવીને રૂમની અંદર પ્રાકૃતિક પ્રકાશ અને વધારે ઉર્જા મેળવી શકાય છે.

* દર્પણને ક્યારેય પણ પોતાના બેડની પાસે ન રાખશો.

* માછલી પરીક્ષામાં સફળતા, નોકરીમાં પદોન્નતિ તેમજ ઉપલબ્ધીની પ્રતિક માનવામાં આવે છે.

* ફેંગશુઈ અનુસાર હાસ્ય વેરતાં બુધ્ધને ઘરમાં રાખવાથી પરિવારના સદસ્યોને પ્રસન્નતા અને હાસ્ય પ્રદાન થાય છે તેમનું હાસ્ય આપણને તે સંદેશ આપે છે કે ક્યારેય પણ દુ:ખી ન થશો હંમેશા પ્રસન્ન રહો.
ઘણું બધુ
ઘરના દક્ષિણ-પશ્ચિમ ખુણામાં ઝુમ્મરો લટકાવો
રસોડામાં પાણી અને અગ્નિ જોડે ન રાખશો.
ઘરમાં ક્યારેય પણ હિંસક ચિત્રો ન રાખશો.
ઘરના નૈઋત્ય ખૂણામાં રોપા ન મુકશો
બિલ્ડીંગના છેલ્લા માળે ક્યારેય પણ ફ્લેટ લેશો નહી.
ધ્યાનમાં રાખો.