બુધવાર, 24 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. ગુજરાતી આરતી-ગરબા
Written By વેબ દુનિયા|

આરતી પછીના બોલ

આરતી પછીના બોલ
W.D
જે માનવી જ્ન્મી જગે જગદંબાને વિસરી ગયો
સેવા કરીના માતની અવતાર તો તેને તેણે ગયો
કાયા મળી કંચન તણી સેવા કરીના માતની
માતા મુખે ન વિદ્યા જીહ્વા દેહ દિધી શા કામની?
પરમેશ્વરીને પુંજતા પામર જીવો જાયે તરી
જેણે ભજ્યાં મા ભગવતી આશા પુરે જો ઇશ્વરી
જવાનું છે જો જો જરૂર મીન મેખ તો ફરશે નહી
મુક્યા વિસારી માતને અવસર ફરી મળશે નહી
સેવક કહે મા આપનો સૌ દાસને સંભારજો
ચિત્તવન તમારા નામનું અંબે સદા છું આપનો.